ડીસા તાલુકાના ભોયણ ગામે પવિત્ર શ્રાવણ માસમાં જ ગામમાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાતા ગ્રામજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. મૂર્તિ ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે ગ્રામજનોએ કાર્યવાહીની માગ કરી છે.