ધાર્મિક માહોલ: ડીસામાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રી કૃષ્ણ -રૂક્ષ્મણીના વિવાહ યોજાયા..

ડીસામાં આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમા અધિક પુરૂષોત્તમ માસને લઇ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. કથા મંડપમાં કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમેશભાઈ બારોટ દ્વારા શ્રી કૃષ્ણનું પાત્ર ભજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. કથા દરમિયાન યોજાયેલા કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહથી ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો.