રાજકોટમાં નશાયુક્ત સીરપ મળી આવવાના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આ સીરપ મહારાષ્ટ્રના નંદુરબારની એક ફેક્ટરીમાં બનતું હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નંદુરબારની આ ફેક્ટરીમાં તપાસ કરતા 1.30 કરોડની કિંમતના નશાયુક્ત સીરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ સીરપ સાથે ફેક્ટરીને સીલ કરી દીધી છે અને આ મામલે 10 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.