ડીસા (મેરૂજી પ્રજાપતિ)

 ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ ગામના સોલંકી માળી પરિવાર દ્વારા પોતાના કુળના ગોગાજી રાજસ્થાન પગપાળા પદયાત્રા સંઘ રાણપુર થી તારીખ 20 /8/ 23 ના રોજ પ્રસ્થાન થયેલ. ત્યારે જીપ ડાલા ટેકટર તમામ તૈયારી સાથે સમસ્ત સોલંકી પરિવાર દ્વારા ટ્રેક્ટર તેમજ ડીજેના તાલે નાચતા આખું વાતાવરણ ભક્તિમય બનેલ. અને તેલવાડિયા ગોગા મહારાજના દર્શને પગપાળા નીકળેલ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરી ભાવિકોને પ્રસ્થાન કરાવેલ. અત્રે ઉલ્લેખનીય છે.કે. તેલવાડિયા ગોગાજી ધામે અનેક ભાવિકના સંઘગુજરાતમાંથી પણ દર્શને જતા હોય છે.ત્યારે શ્રી પંચદશનામ જુના અખાડાના આંતર રાષ્ટ્રીય પ્રવક્તા,દિલ્લી સંત મહામંડળના રાષ્ટ્રીય અધ્યક્ષ, હિન્દૂ યુનાઇટેડ ફ્રન્ટના અધ્યક્ષ પ.પૂ. મહંતશ્રી નારાયણ ગિરિજીના માર્ગદર્શન હેઠળ ગોગાજી મંદિરના મહારાજશ્રીપૂ.જગદીશગીરીજી મહારાજ, શ્રી,ચંદનપુરી મહારાજ,શ્રી જેઠુંસિંહજી,શ્રીચમનારામજી દેવાસી, અચલારામ પ્રજાપતિ, પિન્ટુસુથાર અને સ્થાનિક ભાવિકો ગોગામહારાજ મંદિરમાં આવતા શ્રધ્ધાળુ ભાવિકોને આવકારી યોજાતા ધાર્મિક પ્રસંગોનું સંચાલન કરી રહ્યા છે.