પાટડી હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતો 27 વર્ષનો યુવાન મહેશભાઈ પ્રતાપભાઈ ઝીંઝુવાડીયા હોમગાર્ડની નાઈટ ડ્યુટીમાં ફરજ પર હાજર હતો ત્યારે પાટડી પાંચાણી વાસના નાકે આવેલા રામદેવપીરના મંદિર પાસે મંદિરમાં સીરીઝનું કામ કરી રહેલા ઠાકોર સમાજના યુવાનો પાસે વાત કરવા ઉભો હતો. ત્યારે કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં આવેલા નાગરાજભાઈ સંગ્રામભાઇ ખાંભલા અને અશોકભાઈ હિંગોળભાઈ ખાંભલાએ ત્યાં ઉભેલા માણસોને ગાળો બોલવા લાગ્યા હતા.આથી હોમગાર્ડ જવાન મહેશભાઈ પ્રતાપભાઈ ઝીંઝુવાડીયાએ આ બંનેને ગાળો બોલવાની ના પડતા બંને જણાએ એકદમ ઉશ્કેરાઇ જઈને ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનને ગાળો આપી તને પીએસઆઇની હવા છે અને વર્ધીની હવા હોય તો કાઢી નાખજે એમ કહી ઢીંકાપાટુનો માર મારી ગાલ પર બેથી ત્રણ ફડાકા ઝીંકી દઈ હોમગાર્ડ જવાનનો શર્ટ પકડી ઉપરના બે બટન તોડી નાખવાની સાથે જતા જતા આ બાબતે જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં જતા રહ્યા હતા. આ બાબતે પાટડી હોમગાર્ડ જવાન મહેશભાઈ પ્રતાપભાઈ ઝીંઝુવાડીયાએ પાટડીના નાગરાજભાઈ સંગ્રામભાઇ ખાંભલા અને અશોકભાઈ હિંગોળભાઈ ખાંભલા વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બૌદ્ધ ધરોહરને બચાવવા રજૂઆત:
બહુજન વિકાસ ફોજ દ્વારા જૂનાગઢમાં
બૌદ્ધ ધરોહરને બચાવવા પુરાતત્વ
વિભાગને રજૂઆત કરાઇ
જૂનાગઢ શહેર અને ગિરનાર ઉપર આવેલી
પ્રાચીન બૌધ્ધ વિરાસતો જેવી કે ઈટવા, રૂદ્દેશન,
બૌધ્ધ વિહાર,...
Vikram Lander से निकल Pragyan Rover ने चांद पर सबसे पहले छोड़े ये दो निशान | Chandrayaan-3 Landing
Vikram Lander से निकल Pragyan Rover ने चांद पर सबसे पहले छोड़े ये दो निशान | Chandrayaan-3 Landing
Blue Aadhaar Card बनवाने का प्रोसेस क्या है? ये सफ़ेद वाले आधार कार्ड से कितना अलग है?
Blue Aadhaar Card बनवाने का प्रोसेस क्या है? ये सफ़ेद वाले आधार कार्ड से कितना अलग है?
દિયોદર જલારામ મંદિરના કાર્યનો ધમધમાટ....22 થી 24 ફેબ્રુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ...
દિયોદર નગરે પૂજ્ય જલારામ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા સમગ્ર સમાજ થનગની રહ્યો છે...
શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગ લાગી...
કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગ: એક બાળકનું મોત, બે બાળકોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં,...