"આઝાદી કા અમૃત મહોત્સવ"ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા સમગ્ર દેશમાં 9થી 31 ઓગસ્ટ દરમિયાન "મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત, વઢવાણ ખાતે “મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન અને સંઘર્ષના પરિણામે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા તેમજ આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સ્વપ્ન માટે રોડમેપ તૈયાર કરવા વડાપ્રધાને "આઝાદી કા અમૃત મહોત્સવ"નો શુભારંભ કરાવ્યો હતો. આ અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ યાદગાર બનાવવા અને સ્વાતંત્ર્ય સેનાની અને દેશ માટે બલિદાન આપનાર દરેક વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં "મારી માટી, મારો દેશ" અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રાયમલભાઈ ચાવડા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, કારોબારી ચેરમેન સંજયભાઈ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત સદસ્ય અમરતભાઈ ડાભી, અગ્રણી સર્વે મુકેશભાઈ, દિલીપસિંહ, વનરાજસિંહ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અર્પણ ચાવડા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्ह्यात 1951 चे कलम 37 (1)(3) अन्वये मनाई आदेश लागू
बीड, दि. 23 जिल्ह्यात आगामी काळात दि. 26 सप्टेंबर पासून साजऱा होणरा नवरात्र उत्सव दि. 5...
राजस्थान में डिनर डिप्लोमेसी ने बढ़ाई सियासी सरगर्मी ! 6 निर्दलीय विधायकों की डिनर मीटिंग, ज्यादातर राजे समर्थित
प्रदेश में कुछ समय से शांत पड़ी राजनीति में कोई भूचाल तो नहीं आने वाला है ? भाजपा में कुछ बड़ा तो...
ભાવનગરમાં રુ.૬૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
ગોહિલવાડમાં વિકાસ કાર્યોની હેલીઃ ભાવેણાવાસીઓમાં અનેરો ઉત્સાહ
અમારો ધ્યેય સત્તાનો નહિ પણ સેવાનો...
श्री गणेश चतुर्थी निमित्त नवगण राजुरी येथे आमदार संदीप क्षीरसागर यांच्या हस्ते जल पूजन व महाभिषेक
श्री गणेश चतुर्थी निमित्त नवगण राजुरी येथे आमदार संदीप क्षीरसागर यांच्या हस्ते जल पूजन व महाभिषेक