તા.10 એપ્રિલ 1870માં જન્મેલા સરદારસિંહ રાણાનું બાળપણ કંથારિયા ગામમાં વીત્યું હતું. હિરા-ઝવેરાતના ધંધાર્થે તેઓ વિદેશ ગયા હતા. લંડનમાં ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી ભારતની ક્રાંતિ માટેની પ્રવૃત્તિ શરૂ કરી. જ્યાં તેમને પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને મેડમ કામા સાથે મળીને ભારતની આઝાદી માટે ક્રાંતિકારી ચળવળ શરૂ કરી હતી. ભારતમાં બ્રિટિશ સરકારના અત્યાચારો માટે શ્યામજી કૃષ્ણવર્માના તંત્રીપદે ઈન્ડિયન સોસીઓલોજીસ્ટ નામનું અંગ્રેજી અખબાર છાપવાનું શરૂ કર્યું. ભારતમાં બોમ્બ, પિસ્તોલના યુગની શરૂઆતનો શ્રેય આ ત્રિપુટીને ફાળે જાય છે.તા.22 ઓગસ્ટ 1907 જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદનું સંમેલનમાં સરદારસિંહ અને મેડમ કામાએ ભારતનો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવીને લહેરાવ્યો હતો. દેશની આઝાદી બાદ વર્ષ 1952માં યોજાયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં જે 60 સાંસદો ચૂંટાયા હતા તે સરદારસિંહે આપેલી સ્કોલરશિપ મેળવીને ભણ્યા હતા. વર્ષ 1957માં સરદારસિંહ રાણાના હસ્તે કંથારિયા ગામની પ્રા.શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તે શાળાને 66 વર્ષ પછી સરદારસિંહ રાણા પ્રા.શાળાનું નામ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે સરદારસિંહના પરિવારના પ્રતાપસિંહ, જે.ડી.રાણા, સર્વદમનસિંહ, પરિક્ષિતસિંહ રાણા સાથે આગેવાન જયરાજસિંહ, સહિતના હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધોરાજી : સૌરાષ્ટ્ર યુનિ.ના b com તથા bba આમ બે પેપર લીક થયા હતા
ધોરાજી : સૌરાષ્ટ્ર યુનિ.ના b com તથા bba આમ બે પેપર લીક થયા હતા
बिरला के आगामी कार्यकाल में क्षेत्र में स्थापित होंगे विकास के नए आयाम राजेश रायपुरिया
कोटा बूंदी सांसद ओम बिरला के पुनः लोकसभा अध्यक्ष बनने पर क्षेत्र के जनप्रतिनिधियों, भाजपा नेताओं...
राष्ट्रध्वजाचा अवमान करणाऱ्यावर देशद्रोहाचा गुन्हा दाखल करा- अजय सरवदे@news23marathi
राष्ट्रध्वजाचा अवमान करणाऱ्यावर देशद्रोहाचा गुन्हा दाखल करा- अजय सरवदे@news23marathi
কণ কণ ছাত্ৰ ছাত্ৰী হাতৰ পৰশত.....
কণ কণ ছাত্ৰ ছাত্ৰী হাতৰ পৰশত .....
সোণাৰিৰ আগশাৰীৰ ইংৰাজী মাধ্যমৰ বিদ্যালয় ৱেলবৰ্ণ পাব্লিক...
सूर्य षष्ठी पर होने वाले नव कुंडीय गायत्री महायज्ञ के लिए बांटे पीले चावल
सूर्य षष्ठी पर होने वाले नव कुंडीय गायत्री महायज्ञ के लिए बांटे पीले चावल
बून्दी। 7 नवंबर को...