ધ્રાંગધ્રા ખાતે ધ્રાંગધ્રા ખાતે ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા,ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ વન વિભાગના અધિકારીઓ સહિત હળવદ સ્થાનિક આગેવાનો, વન્યજીવ પ્રેમીઓ, એન.જી.ઓ. શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઈકોલોજીકલ સંતુલન જાળવવામાં વરૂઓનાં મહત્વ વિશે જાગૃતિ વધારવાનાં હેતુથી તા.13 ઓગસ્ટનો દિવસ વિશ્વભરમાં વિશ્વ વરૂ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જૈવિક પારિસ્થિતિ તંત્રમાં વરૂઓની ભૂમિકા અને મહત્વ વિશે વધુને વધુ લોકો જાણે અને તેમના સંરક્ષણ વિશે પણ જાગૃતિ વધે તે માટે આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.ભૂતકાળમાં ઘુડખર અભયારણ્ય વિભાગ, ધ્રાંગધ્રાના વન અધિકારી કર્મચારીઓ દ્વારા એક ઈજાગ્રસ્ત માદા વરૂનું અભયારણ્ય વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેને સુરેન્દ્રનગર સરકારી વેટરનરી હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સારવાર આપ્યા બાદમાં વેટનરી કોલેજ-આણંદ ખાતે જરૂરી સારવાર સર્જરી માટે લઈ જવામાં આવેલું. ત્યારબાદ સતત દેખરેખ અને સારસંભાળની જરૂર હોઈ તેને સક્કરબાગ ઝુલોજીકલ પાર્ક, જુનાગઢ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. જ્યાં તે વરૂને "દિવ્યાંગી" નામ આપવામાં આવ્યું અને બાદમાં તે વરૂની તંદુરસ્તીમાં ઉત્તરોત્તર સુધારો થતાં સક્કરબાગ ખાતે બ્રિડિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. જે સફળ રહેતા વર્ષો-વર્ષ તેણે બચ્ચાને જન્મ આપ્યો. આ બચ્ચાઓ મોટા થતા ગુજરાત સરકાર દ્વારા આ બચ્ચાઓ તથા સક્કરબાગ ઝુલોજીકલ પાર્ક, જુનાગઢ ખાતે સ્થિત અન્ય વરૂઓને ગુજરાતના અલગ-અલગ વિસ્તાર જેવા કે, થળા-સુલતાનપુર (ધ્રાંગધ્રા), નડાબેટ તથા અન્ય વિસ્તારમાં કુદરતી આવાસમાં મુક્ત કરવા નિર્ણય કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
World Autism Awareness Day 2024: क्या है ऑटिज्म और किन लक्षणों से कर सकते हैं पहचान?
ऑटिज्म के बारे में लोगों को जागरूक बनाने के लिए हर साल 2 अप्रैल को वर्ल्ड ऑटिज्म अवेयरनेस डे...
विशिष्ट व्यव्सायी समाजसेवी एव श्री हनुमान मंदिर संचालन समिति के अध्यक्ष संतोष जी तोषनीवाल का स्वर्गवास
श्रीहनुमान मंदिर संचालन समिति के अध्यक्ष एव खारूपेटिया के प्रमुख व्यव्सायी श्री संतोष जी तोषनीवाल...
Ajit Pawar: Eknath Shinde Uddhav Thackeray गटातल्या राड्यावर काय म्हणाले?| Sada Sarvankar |Shiv Sena
Ajit Pawar: Eknath Shinde Uddhav Thackeray गटातल्या राड्यावर काय म्हणाले?| Sada Sarvankar |Shiv Sena