શક્તિપીઠ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે મા જગતજનની અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં માઇભક્તો દૂર દૂરથી અંબાજી ખાતે આવતા હોય છે..

અંબાજી માં માતાજીના દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે, અને ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠ નો લાભ પણ લેતા હોય છે, ગબ્બર પર્વત ચારે બાજુ પહાડીઓ થી ઘેરાયેલું ભક્તિ અને સૌંદર્યનું સ્થળ છે..

6 ઓગસ્ટ સવારે અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વતની પહાડીઓમાં સવારે દીપડો નજરે પડ્યો હતો, ગબ્બર પર્વત પર લેબર કામગીરી કરતા લેબરોને દીપડો દેખાયો હતો. ત્યારે મોબાઈલથી તેમનો વીડિયો ઉતાર્યો હતો, અંબાજી ગબ્બર પર્વતની પહાડીઓ માં દીપડો દેખાતા દર્શનાર્થીઓ અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો..

51 શક્તિપીઠ પર પૂજારીઓ સહિત લેબર કામ કરતા લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો હતો, ત્યારે તમામ ઘટના ની જાણ વન વિભાગ અંબાજી ને જાણ કરાતા વન વિભાગ એક્શનમાં આવી ગયું હતું..

વન વિભાગ અંબાજી ને ગબ્બર પર્વત પર દીપડા વિશે પૂછતા વન વિભાગ ના કર્મચારીએ જણાવ્યું હતું કે, ગબ્બર પર્વતની પહાડીઓ માં દીપડો હોવાની વાત 100 ટકા સાચી હતી, અમને ગબ્બર પર્વતની પહાડીઓ માં 6 ઓગસ્ટ ને દીપડાની જાણ થતાં પાલનપુર ની રેસ્ક્યુ ટીમ ગબ્બર પર્વત પર આવી અને સાથે પાંજરાઓ અને ટેપ કેમરા સહિત અન્ય સામગ્રી લઈને પહોંચી હતી. ત્યારબાદ અત્યાર સુધી સતત વન વિભાગ દ્વારા સતત મોનીટરીંગ રખાતા દીપડાના પદચિહ્ન છાપરી ચેકપોસ્ટ બાજુ જોવા મળ્યા હતા, તો સાથે સાથે વન વિભાગે જણાવ્યું હતું કે હવે દીપડાએ ગબ્બર ની પહાડીઓ થી સ્થળ છોડી દીધું છે. અને ટેપ કેમરાઓ હવે ત્યાંથી નીકાળી દેવામાં આવ્યા છે..

પણ પાંજરાઓ હજી પણ ત્યાં રાખવામાં આવ્યા છે, જેનું મુખ્ય કારણ આવનાર ભાદરવી પૂનમ છે. જેમાં અંબાજી અને ગબ્બર પર લાખોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે..