ચોટીલાના સુખસર ગામે બાવળ કાપવાનીના પાડતા મનદુખ રાખીને હુમલો કરાયો હતો.જેાં ત્રણ શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ચોટીલાના સુખસર ગામે રહેતા રઘુભાઈ કથુભાઈ ખાચર તેમની વાડીની બાજુમાં ખરાબામા સુખસર ગામના ગભરૂભાઈ નાજભાઈ ખાચર અને ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર મજૂરો દ્વારા લાકડા કાપતા હતા.તો રઘુભાઈ તેમના સેઢાની બાજુમાં લાકડા કાપવાની ના પાડતા બપોરના સમયે ત્રણેય શખ્શો આવીને મજૂરોને લાકડા કાપવાનું કહીને કહેવા આવ્યા હતા કે અહીંયા તો લાકડા કપાશે અને ત્યારબાદ રાત્રિના સમયે રઘુભાઈ ઘર તરફ મોટરસાયકલ જતા હતા. તે દરમિયાન રસ્તામાં ગભરૂભાઈએ રઘુભાઈ પર કુહાડીનો ઘા કરતા મોટરસાયકલ કાઉ મારીને નીકળી જતા ત્યારબાદ ત્રણેય શખ્શો રઘુભાઈના ઘર પર જઈને અપ શબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેથી રઘુભાઈએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગભરૂભાઈ નાજભાઈ ખાચર ધર્મેન્દ્રભાઈ અશોકભાઈ ખાચર અને પ્રવીણભાઈ કનુભાઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.જેની તપાસ એ.એસ.આઇ મીઠાભાઇ રાજપરા અને પોલીસ સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.