સાયલા તાલુકા ના વડલી -કરાડી તરીકે ઓળખાતા વન વિભાગના જંગલની માલીકીમાં મોટા પાયે 10 શખ્સોએ દબાણ કરવામાં આવેલુ હોવાની અનેક રજુઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતા સરકારી જમીન અને વૃક્ષોનું છેદન અટકાવી જતન કરવાની પણ ઉચ્ચકક્ષાએ રજુઆત થઇ છે.સાયલા તાલુકાના કરાડી વડલી તરીકે સરકારી જંગલ આવેલુ છે. તેમાં વર્ષોથી અસામાજીક ત્તત્વો દબાણ કરીને વાવેતર કરી રહયા છે. અને જંગલની જમીનમાં ઔરીયા, ધોરીયા,પાઈપ લાઈન, કુવા સહિતના સાધનોનો ઉપયોગ કરી તંત્રની મંજુરી લીધા વિના માથાભારે તત્વો દ્વારા બહોળા પ્રમાણમાં વૃક્ષ છેદન અને ફોરેસ્ટર ડીપાર્ટમેન્ટના નિયમ વિરૂધ્ધમાં તમામ કામગીરી કરી રહયા છે. આ બાબતની અનેક રજુઆત થઇ હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ દબાણ દૂર કરવાની કે દબાણકર્તાઓ કે વાવેતર કરનાર સામે કાર્યવાહી કરવામાં ન આવતા લાખાભાઇ સગરામભાઇ સાંબડે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.વધુમાં તમામ માહિતી અને પુરાવા હોવાનો દાવો કરનાર લાખાભાઇએ અધિકારી અને દબાણકર્તા ખેડૂતો વચ્ચે મીલીભગત હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અને વાવેતર અને દબાણ બાબતની સ્થળ તપાસમાં સાથે રાખવા પણ લેખીત જણાવ્યું છે. સરકારી જમીનમાં દબાણકર્તાઓને નિયમ વિરૂધ્ધ માટી ચોરી કરતા હોવાની સાથે સરકારી જમીનને બચાવવા કાર્યવાહી ઝડપભેર કરવાનું જણાવ્યું છે. અને દબાણ દુર કરીને અનેક વૃક્ષોનુ જતન કરવાને બદલે છેદન થતુ અટકાવવા તથા દબાણ ખુલ્લુ કરીને સરકારી મીલ્કતને થતી નુકશાની અટકાવવાની પણ રજુઆત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધરમપુરના તુંબી ગામના દંપતીએ કૃષ્ણ ભગવાન ઉપર અભદ્ર ટિપ્પણી કરતા હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
ધરમપુરના તુંબી ગામના દંપતીએ કૃષ્ણ ભગવાન ઉપર અભદ્ર ટિપ્પણી કરતા હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
লুৰিণজ্যোতি গগৈক ক্লাৱৰ সভাপতি আখ্যা বিধায়ক ৰফিকুল ইছলামৰ
ৰাইজৰ দলৰ সভাপতি অখিল গগৈ আৰু অসম জাতীয় পৰিষদৰ সভাপতি লুৰিণজ্যোতি গগৈক সমালোচনাৰে থকা সৰকা কৰিছে...
2024 Hero Splendor + XTEC 2.0 में हुए हैं ये 5 बदलाव, नए अवतार में हो गई है इतनी खास
लुक के मामले में स्प्लेंडर+ XTEC 2.0 ने अपने आइकॉनिक सिल्हूट को बरकरार रखा है। इसमें आगे की तरफ...
રાધનપુર : ડાયરામાં 1 કરોડ થી વધુનો થયો નોટોનો વરસાદ | SatyaNirbhay News Channel
રાધનપુર : ડાયરામાં 1 કરોડ થી વધુનો થયો નોટોનો વરસાદ | SatyaNirbhay News Channel
उद्योग एवं हस्तशील शिल्पग्राम मेले का हुआ समापन
बूंदी महोत्सव के 10 दिवसीय श्रृंखला में आयोजित उद्योग एवं हस्तशील शिल्पग्राम मेला मंच पर आयोजित...