ચોટીલાના સ્લમ વિસ્તાર એવા મફતિયપરા ખાતે આવેલ શાળા નં. 7માં દાતાનું સન્માન અને બદલી પામેલ શિક્ષકોનો વિદાય સમારોહ રાખવામાં આવેલ હતો. કાર્યક્રમમાં બદલી થનાર શિક્ષક હિતેશભાઇ પટેલ અને ચાર્મીબેન જોષીને શાળા પરિવાર અને તાલુકા શિક્ષણ વિભાગનાં અધિકારીઓ તેમજ શિક્ષક સંઘના આગેવાનોની ઉપસ્થિતિમાં મોમેન્ટ શ્રીફળ પડો આપી વિદાય આપવામાં આવેલ હતી. ચોટીલાનાં ખોજા સમાજનાં ઉમેદભાઈ ગીલાણી દ્વારા તેમની સ્વર્ગસ્થ દિકરી ડો. સિમરનબેન ની બીજી વાર્ષિક પુણ્ય તિથિ પ્રસંગે શાળાને મુખ્ય મેઈન ગેટ બનાવી આપેલ તેમજ નગરપાલિકા સદસ્ય ભરતભાઈ સુરેલા તરફ થી તેમની સ્વર્ગસ્થ દિકરી પાયલબેન નાં સ્મરણાર્થે પાણીનું પરબ બંધાવી આપેલ હતું તેમના અનુદાન બદલ દાતાઓના સન્માન તેમજ પાલિકાનાં પૂર્વ ઉપ પ્રમુખ હરેશભાઇ ચૌહાણનું સેવા કાર્ય બદલ શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવેલ.કાર્યક્રમમાં અધિકરીગણ વી. ડી. દેવથળા, પ્રકાશભાઈ પરમાર, સંઘ અગ્રણી દિપેન્દ્રભાઇ ધાધલ, ઘનશ્યામભાઇ મેણીયા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.