અમરેલીની મિતિયાળા શાળાની મુલાકાતે શિક્ષણ રાજ્યમંત્રી : "રઘુ રમકડાં"ના વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠિ..શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જાફરાબાદ તાલુકાની મિતિયાળા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મંત્રી પાનસેરિયા બાળકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યાં હતાં. તેમણે બાળકો સાથે ચર્ચા કરી અને ગીતો પણ સાંભળ્યા. "રઘુ રમકડું" નામથી જાણીતા શિક્ષક રાઘવભાઈ કટકિયાના વર્ગખંડમાં મુલાકાત લઈ બાળકો પાસેથી શિક્ષક અંગેનો અભિપ્રાય મેળવ્યો હતો."રઘુ રમકડું" એટલે કોણ..મિતિયાળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાઘવભાઈ કટકિયા "રઘુ રમકડું"ના હુલામણાં નામથી ઓળખાય છે. તેઓની બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિ ખૂબ અનોખી છે. બાળકો સાથે બાળક બનીને કાર્યમાં એકરસ થઈ સરળ રીતે તેઓ બાળકોને દરેક બાબતો શીખવાડે છે. અનેક શાળાઓમાં તેઓ આ અંગેનું શૈક્ષણિક માર્ગદર્શન આપે છે. તેઓની આ પદ્ધતિના કારણે શાળામાં બાળકોની હાજરી વધુ જોવા મળે છે.શાળાની મુલાકાત દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શિક્ષક રઘુભાઈની પીઠ થાબડી અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, અમરેલી જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, જિલ્લા-તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, આચાર્ય બળવંતભાઈ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Trading Tips | ट्रेडिंग में किया ये गलती तो डूब जाएगा आपका पैसा। | Saas, Bahu Aur Sensex | CNBC News
Trading Tips | ट्रेडिंग में किया ये गलती तो डूब जाएगा आपका पैसा। | Saas, Bahu Aur Sensex | CNBC News
ધ્રાંગધ્રા શાક માર્કેટ ખાતે કપડાંની થેલીનુ વિતરણ કરતા પુર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા
ધ્રાંગધ્રા શાક માર્કેટ ખાતે કપડાંની થેલીનુ વિતરણ કરતા પુર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા
કેશોદમાં જલારામ મંદિર ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો
કેશોદમાં જલારામ મંદિર ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો
રાજ્ય સરકારનો કર્મચારી હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય
એસ.ટી.નિગમના કર્મચારીઓના ભથ્થાઓ માં નોંધપાત્ર વધારો કરીને તેમની માગણીઓનું હકારાત્મક નિરાકરણ કરતી રાજ્ય સરકાર વાહનવ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી
વાહન વ્યવહાર મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યું છે કે,રાજ્ય સરકારના જી.એસ. આર.ટી નિઞમ હસ્તકના...
લાખણી ડીસા હાઇવે પર ભેમાજી ગોળીયા નજીક બે પદયાત્રીઓને અડફેટે લેતાં એકનું ઘટનાસ્થળે મોત
લાખણી ડીસા હાઇવે પર ભેમાજી ગોળીયા નજીક બે પદયાત્રીઓને અડફેટે લેતાં એકનું ઘટનાસ્થળે મોત