અમરેલીની મિતિયાળા શાળાની મુલાકાતે શિક્ષણ રાજ્યમંત્રી : "રઘુ રમકડાં"ના વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠિ..શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જાફરાબાદ તાલુકાની મિતિયાળા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મંત્રી પાનસેરિયા બાળકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યાં હતાં. તેમણે બાળકો સાથે ચર્ચા કરી અને ગીતો પણ સાંભળ્યા. "રઘુ રમકડું" નામથી જાણીતા શિક્ષક રાઘવભાઈ કટકિયાના વર્ગખંડમાં મુલાકાત લઈ બાળકો પાસેથી શિક્ષક અંગેનો અભિપ્રાય મેળવ્યો હતો."રઘુ રમકડું" એટલે કોણ..મિતિયાળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાઘવભાઈ કટકિયા "રઘુ રમકડું"ના હુલામણાં નામથી ઓળખાય છે. તેઓની બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિ ખૂબ અનોખી છે. બાળકો સાથે બાળક બનીને કાર્યમાં એકરસ થઈ સરળ રીતે તેઓ બાળકોને દરેક બાબતો શીખવાડે છે. અનેક શાળાઓમાં તેઓ આ અંગેનું શૈક્ષણિક માર્ગદર્શન આપે છે. તેઓની આ પદ્ધતિના કારણે શાળામાં બાળકોની હાજરી વધુ જોવા મળે છે.શાળાની મુલાકાત દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શિક્ષક રઘુભાઈની પીઠ થાબડી અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, અમરેલી જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, જિલ્લા-તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, આચાર્ય બળવંતભાઈ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટીમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા જીઇબી કચેરીમાં લેખીત રજુઆત.
કાલોલ શહેર સ્થિત ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટીમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠા થી ત્રસ્ત સ્થાનિક...
સુડાવડ ગામની માનસિક અસ્થિર બાળા ઉપર બળાત્કાર ગુજારવા ના ગુન્હાના આરોપી ઇસુબભાઇ ઉર્ફે ઇશુભાઇ કુરેશી રે. સુડાવડ વાળાને ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલતી બગસરાના કુનેહબાજ અને ઝાંબાજ લેડી પો .ઇન્સ્પેક્ટર. આઈ. જે ગીડા સાહેબ ની પોલીસ ટીમ.
શ્રી આઇ.જે.ગીડા પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન એ પાર્ટ...
महाराष्ट्राचे मुख्यमंत्री आणि उपमुख्यमंत्री हे स्वार्थी असल्याचा खा. सुप्रिया सुळे यांचा आरोप
महाराष्ट्राचे मुख्यमंत्री आणि उपमुख्यमंत्री हे स्वार्थी असल्याचा खा. सुप्रिया सुळे यांचा आरोप
Gujarat Election| રાજકોટ: ધોરાજી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર, લલિતભાઈ વસોયા ને આપી ટિકીટ | Dpnews
Gujarat Election| રાજકોટ: ધોરાજી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર, લલિતભાઈ વસોયા ને આપી ટિકીટ | Dpnews
প্ৰয়াত ছাত্ৰ নেতা কৰুণ মহন্ত সোঁৱৰণি প্ৰাইজমনি ফুটবল প্ৰতিযোগিতাৰ আয়োজনৰ বাবে অভ্যৰ্থনা সমিতি গঠন
প্ৰয়াত ছাত্ৰ নেতা কৰুণ মহন্ত সোঁৱৰণি প্ৰাইজমনি ফুটবল প্ৰতিযোগিতাৰ আয়োজনৰ বাবে অভ্যৰ্থনা সমিতি গঠন