ચંદ્રગઢ ગામના વતની દલવાડી ભરતભાઈના પૂત્ર મેહુલનું અગિયાર વર્ષની ઉંમરે માંદગીના કારણે નિધન થયું હતું. જેથી પૂત્ર મેહુલની સ્મૃતિરૂપી ભરતભાઈએ બુટવડા વાડી વિસ્તાર પ્રાથમિક શાળાને આરઓ ફિલ્ટર અને વોટર કુલર ભેટમાં આપ્યું હતું. અને આજે ભરતભાઈના હસ્તે શાળાને અર્પણ કરેલ અને બાળકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આમ શાળાને 85 હજારની વસ્તુ શાળાને અર્પણ કરતા શાળાના વાલીમંડળ, સ્ટફ તથા બાળકોએ તેમની સ્મૃતિરૂપી ભેટને બિરદાવી હતી. અને શાળાના આચાર્ય ચેતનભાઈ તથા ગ્રામજનોએ ભરતભાઈ દલવાડીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.