સોજીત્રા વિધાનસભાના પીપળાવ મુકામે આશાપુરી માતાજીના મંદિર જવાના રસ્તા પર નવનિર્માણ પામનાર પ્રવેશ દ્વારનું ખાતમુર્હુત સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ તથા પીપળાવ આશાપુરી ક્રેડિટ સોસાયટીના ચેરમેનશ્રી દિલીપભાઈ પટેલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે સોજીત્રા તાલુકા મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી યતિનભાઈ પટેલ, શ્રી કિર્તીભાઈ પંડ્યા, શ્રી હિતેશભાઈ ગીરી ગોસ્વામી, આણંદ જીલ્લા પૂર્વ મહામંત્રીશ્રી નિરવભાઈ અમીન તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.