આણંદ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાં હરિયાણાના ફરીદાબાદના વિવેકકુમાર અશોકકુમાર અગ્રવાલ ફરીદાબાદથી નોકરી શોધવા માટે અમદાવાદ અને અમદાવાદથી નોકરીની શોધ માટે સુરત જતા હતા ત્યારે આણંદ નજીક પેસેન્જર ટ્રેનમાં રોકડ રકમ, મોબાઈલ સહિતની રૂપિયા ૨૮૫૦ની મત્તા ભરેલી ટ્રાવેલર બેગ કોઈ ચોર શખ્સ ચોરી કરી લઈ ગયો હતો આ બનાવ અંગે વિજયકુમાર અગ્રવાલની ફરિયાદ લઈ આણંદ રેલ્વે પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.