ઇસ્લામ ધર્મના મહાન અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈન એ પોતાના ૭રસાથીદારો સાથે ઇરાકના રેતાળ પ્રદેશના કરબલામાં ભવ્ય યુધ્ધ ખેલી શહીદી વ્હોરી લીધાની દુઃખ ભરી એતિહાસિક ઘટનાના શોકમાં બની તાજીય!' આજે સિહોર સહિત સર્વત્ર ગામે ગામ ઇમામખાનામાંથી બહાર આવી ગયા છે અને આજ રાત્ર જૂલૂસરૂપે આ તાજીયા જાહરમાં રાબેતા મુજબ ફરનાર છે. ખાસ કરીને કરબલાના શહીદોની સ્મુતિમાં આ માસમાં તાજીયા બનાવવામાં આવે છે અને તે ૯મી મહોર્રમના જાહર દર્શને મૂકાય છે અને એ જ રાતે જાહેરમાં ફર છે જે મુજબ આ વખતે બનેલા તાજીયા આજે રાત્ર ફરશે અને કાલે મંગળવાર સવાર ફરી માતમમાં આવી જઇ મંગળવાર બપોર ફરી ને રાત્રિના ઇમામખાનામાં ફરી પૂર્ણાહુતી પામશે. અત્ર એ નોંધનીય છે કે, સને ૨૦૨૦ માં કોરોના ફેલાઇ જતા ઇતિહાસમાં પહેલી જવાર કયાંય તાજીયા ફર્યા ન હતા અને તે પછી સને ર૦ર૧ માં મહામારીના લીધે ગાઇડલાઇન યથાવત હોઇ સતત બીજા વર્ષે પણ તાજીયા પોતપોતાના માતમમાં જ રહ્યા હતા અને બહાર ફર્યા ન હતા એ જોતા આ વખતે બે વર્ષ બાદ તાજીયા જુલૂસરૂપે ફરનાર છે. અત્રે એ નોંધનીય છે કે મહોર્રમ માસ આવતા જ મુસ્લીમ સમાજમાં શોકનો માહોલ વર્તાતો હોય છે તો બીજી તરફ ખાસ કરીને આ માસમાં કરબલાના શહીદોની સ્મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે અને તેને ૯ મી મહોર્રમના દિવસે સાંજ જાહર દર્શનાર્થે બહાર લાવી ૧૦ મી મહોર્રમના રાત્રે પરત ઇમામ ખાનામાં મુકવામાં આવે છે. તાજીયા ઉપરાંત કરબલાના શહીદોની સ્મૃતિમાં દરેક મુસ્લિમ વિસ્તારમાં સળંગ ૧૦ રાત્રી હુસેની મજાલિસો યોજાય છે અને ઠેરઠેર સબિલો બનાવી તેના દ્રારા ખાણીપીણીની વસ્તુઓ વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી રહી છે. જમાં સાંજ પડતાં જ જે તે સબિલો ઉપર ધમધમાટ પ્રવર્તે છે અને હુસેની મજાલિસોમાં પણ ભાઇ બહેનો મોટી માત્રામાં ઉમટી વાઅઝ સાંભળી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Year Ahead 2023: कर्नाटक विधानसभा चुनाव से पहले जर्नादन रेड्डी ने बनाई नई पार्टी
कर्नाटक (Karnataka) के खनन घोटालों के केंद्र में रहे रेड्डी बंधुओं में से एक जर्नादन रेड्डी...
अमेरिका और चीन के राष्ट्रपति की मुलाक़ात में कौन सा होगा सबसे बड़ा मुद्दा
अगले हफ़्ते अमेरिकी राष्ट्रपति जो बाइडन और चीनी राष्ट्रपति शी जिनपिंग की मुलाक़ात होने वाली है....
વડોદરા ના ડભોઇ રોડ વિસ્તારમાં થી ગુમ થયેલ પરિવાર આજરોજ પાણીગેટ પોલીસ મથકે હાજર થયો
વડોદરા ના ડભોઇ રોડ વિસ્તારમાં થી ગુમ થયેલ પરિવાર આજરોજ પાણીગેટ પોલીસ મથકે હાજર થયો
পৰি থকা শিলক জীৱন্ত ৰূপ দিয়া এগৰাকী শিৱসাগৰৰ যুৱতী
সাম্প্ৰতিক সময়ত সুপ্ত প্ৰতিভা বিকাশৰ অন্যতম মঞ্চ হৈছে সামাজিক মাধ্যম। এই মাধ্যমৰ জৰিয়তে বৰ্তমান...
Chattisgarh Elections में Congress जीतेगी या BJP, क्या धान के किसान तय करेंगे? (BBC Hindi)
Chattisgarh Elections में Congress जीतेगी या BJP, क्या धान के किसान तय करेंगे? (BBC Hindi)