રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકાના જુના ડીસા ગામે આજરોજ શ્રી હનુમાનજી મંદિર કુતિયા ના જીર્ણોદ્ધારના લાભાર્થે શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે પ્રથમ દિવસે જુનાડીસા આદર્શ સોસાયટી ખાતેથી મુખ્ય યજમાન દિલીપભાઈ શાંતિલાલ બારોટના નિવાસ સ્થાનેથી પોથીયાત્રા નીકાળવામાં આવી હતી આ પોથી યાત્રામાં જુનાડીસા હિંદુ સનાતન ધર્મના પ્રમુખ અને મુખ્ય યજમાન દિલીપભાઈ બારોટ ઉપ પ્રમુખ જગદીશભાઈ પઢીયાર તથા અરવિંદભાઈ મોદી શ્રવણ કાકા અનાવાડીયા ગોપાલભાઈ મોદી જયેશભાઈ દેસાઈ તથા વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓ હિન્દુવાહિની બહેનો. હિન્દુ સનાતન ધર્મ ના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આ પોથી યાત્રામાં જોડાયા હતા અને પોથી યાત્રા શ્રી હનુમાન કુટિયા ખાતે રામચરિત માનસ કથાના આયોજન નો પ્રથમ દિવસનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને શાસ્ત્રીજી શ્રી વિક્રમ પ્રસાદજીના મુખારવિંદે કથા નો રસપાન કરવામાં આવ્યો હતો. આ કથા સાત દિવસનું આયોજન કરવામાં આવેલું છે