સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા થી ચિંતિત છે ત્યારે દેશ મા ઠેર ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાતા હોય છે જ્યારે આજે થરાદ તાલુકા ના ઓતરોલ મુકામે આવેલ મુક્તિધામ મા ગામના સેવા ભાવિ યુવાન મિત્રો અને યુવા સરપંચ શ્રી દ્વારા પચાસ જેટલા વટવૃક્ષ (પીપળા) નું રોપણ કરવા મા આવ્યું હતું જેમાં ગામના યુવાન મિત્રો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરી ને ગામના યુવા સરપંચ શ્રી દેવશીભાઇ પટેલ દ્વારા ગામના યુવાનો ને એક એક વૃક્ષો દતક લઈ તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો આ રીતે સમાજ તેમજ તાલુકા મા એક સારા કાર્ય નું ઉદાહરણ પૂરું પાડવાનું કામ ગામના સેવા ભાવિ યુવાનો અને સરપંચ દ્વારા કરવા મા આવ્યું હતું