રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે રહેતા 70 વર્ષીય વૃધ્ધ મહીલા પર લૂંટના ઈરાદે બે શખ્સોએ ચાકુ વડે હુમલો કર્યો હતો. વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા સાથે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આજે પોલારપુર ગોધરા ચોકડી પરથી સુંદરિયાણા અને કમાલપુર ધોળી ગામના યુવાનોને પોલીસે પકડી પાડયા હતા.ઈલાબેન રમણીકલાલ ચોટલીયા (શાહ) જેઓ સુંદરિયાણા ખાતે રહેણાંકના મકાનમાં દુકાન બનાવીને રહેતા હતા. મંગળવારે તેમના ગળામાં પહેરેલ સોનાનો ચેઈનને આંચકો મારી લુંટ કરવાના ઈરાદે ઈલાબેનને છરીના ઘા ઝીંકી ઈજાગ્રસ્ત કરી બંને નાસી છુટયા હતા. ત્યારે ગામ લોકોને ખબર પડતાં ગામ લોકો એકત્રીત થઈ ને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે બોટાદ એસ.પી,ડી.વા.એસ.પી,એલ.સી.બી.,રાણપુરપી.એસ.આઈ.એસ.જી.સરવૈયા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.જ્યારે ઈલાબેન ને ગંભીર ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે બંને આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવમાં આવી હતી શોઘખોળ હાથ ધરવામાં આવી હતી.બરવાળા રોડ પર આવેલ પોલારપુર ગોધરા ચોકડી પરથી બંને આરોપીઓને રાણપુર પોલીસે ઝડપી લીધા હતા. ધર્મેન્દ્રસિંહ હનુભા ગોહીલ રહે. સુંદરીયાણા અને ધનરાજસિંહ ભુપતસિંહ ઝાલા રહે. કમાલપુર ધોળી તા.લિંબડી, જિ. સુરેન્દ્રનગર બંને શખ્સોએ ઈલાબેન પાસે લુંટ કરવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે પોલીસે બંનેની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহদৈ তিনিআলিত কৃষি বিজ্ঞান কেন্দ্ৰৰ হৰ ঘৰ ত্ৰিৰংগা অনুষ্ঠান
নাজিৰা সমষ্টিৰ ৰহদৈস্থিত কৃষি বিজ্ঞান কেন্দ্ৰৰ উদ্যোগত ৰহদৈ তিনিআলিত হৰ ঘৰ ত্ৰিৰংগা অভিযানৰ এটা...
अकनिर कविता घर,असम केंद्रीय समिति (रोहा)की य्गारह सदस्यीय बारहपुजीया आंचलिक समिति गठित।
अकनिर कविता घर,असम केंद्रीय समिति (रोहा)की य्गारह सदस्यीय बारहपुजीया आंचलिक समिति...
Artist alleges Delhi police manhandled him in Connaught Place, video goes viral
A street performer identified as Varun Dagar alleged he was manhandled by...
আজি জগত গুৰু শ্ৰীমন্ত শংকৰদেৱ ৰ ৪৫৭সংখ্যক তিৰোভাৱ তিথি,ৰহাতো শ্ৰদ্ধাৰে স্মৰণ।নাম কীৰ্তনেৰে ভক্তিময় ।
আজি জগত গুৰু মহাপুৰুষ শ্ৰীমন্ত শংকৰদেৱ ৰ ৪৫৭সংখ্যক তিৰোভাৱ তিথি, সমস্ত ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহাতো...
વિધવા સહાય , રાષ્ટ્રીય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ એ હયાતીની ખરાઈ કરવા અપાય સૂચના.
કલ્યાણપુર તાલુકામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના , રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ...