કડીના ખેરપુર નજીકથી બે મહિના પૂર્વે મળેલી લાશ રાધનપુરના યુવકની હોવાની અને તેની હત્યા પ્રેમિકાએ કરી હોવાની ફરિયાદ નંદાસણ પોલીસમાં નોંધાઈ છે.

રાધનપુર ખાતે રહેતા રાધાબેન મકવાણાના પતિ મનોજકુમાર ગત 4 મેના દિવસે સવારે ઘરેથી નીકળી નંદાસણ નજીક ખેરપુર ગામે આવ્યા હતા.મોડી રાત સુધી મનોજ ઘરે ના આવતા બીજા દિવસે મનોજના માતા-પિતા તેમજ તેના પત્નીએ મનોજની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મનોજનો કંઈ જ અતોપતો ન લાગતા મનોજના પરિવારજનો મનોજની શોધખોળ કરતાં કરતાં કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને તેઓને માલુમ થયું હતું કે, 5 મેના દિવસે ખેરપુરની સીમમાંથી રોડ ઉપરથી એક યુવકની લાશ મળી આવી હતી. જે મનોજની હતી. ત્યારબાદ નંદાસણ પોલીસ મથકમાં આવી તે જગ્યા ઉપર પહોંચ્યા હતા. જ્યાં તેઓને જોવા મળ્યું હતું કે ખેરપુર ગામની સીમમાં એક ઓરડીમાં ઠાકોર ઉમિયાબેન (રહે, રાધનપુર) પરિવાર સાથે રહેતા હતા.  ઘટના બન્યાના દિવસથી તેનો પરિવાર મળી આવ્યો ન હતો. મનોજ ને ઉમિયાબેન સાથે પ્રેમસંબંધ હતા અને મનોજની હત્યા કરી હોવાની હરિયાદ મૃતકની પત્નીએ નોંધાવી હતી.