સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ચાંપાનેર ખાતે આવેલા શ્વેતાંબર જૈન મંદિરમાંથી ગત દિવસોમાં મંદિરમાં ગુરુ મહારાજની પ્રતિમાંની સામે મૂકેલી દાન પેટીની ચોરી થઈ હતી જેમાં મંદિરની કાચની બારીનો નકુચો તોડી અજાણ્યા ચોર ઇસમોએ મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી ઉઠાવીને ફરાર થઈ ગયા હતા જેમાં દાનપેટીમાં અલગ અલગ દરની ચલણી નોટો અને સિક્કાઓ મળી કુલ 22,000/- રૂ.ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પંથકમાં બનતા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓને ડીટેકટ કરવા માટેની કામગીરીમાં જોતરાયેલી પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસને પાવાગઢ ખાતે થયેલી ચોરી અંતર્ગત વ્યુહ્મન સોર્સિસ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે પાવાગઢના શ્વેતાંબર જૈન મંદિરમાં થયેલી દાન પેટીની ચોરીમાં પાંચ લોકો સંડોવાયેલા છે જેમાં લિલેશભાઈ કરમસિંહ ભાભોર, અલ્કેશભાઈ બરસિંગ ભાભોર, કેગુભાઈ રામસિંગભાઈ ડામોર, મનુભાઈ ચંદુભાઈ પરમાર, અને માનસિંગભાઈ ચંદિયાભાઈ પરમાર તમામ રહે. ગાંગરડા,હોળી ફળિયા તા. ગરબાડા,જિલ્લો દાહોદનાઓ છે અને આ પાંચેય આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ દાન પેટીમાંથી ભાગમાં આવેલ ચોરીની રકમમાંથી ખરીદી કરવા વડોદરા જવા નીકળેલ છે અને હાલમાં હાલોલના રેંકડીના નાળા પાસે ઉભેલા છે જે માહિતીના આધારે એલસીબી પોલીસે ખાનગી વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં ઝડપાયેલા લીલેશભાઈ, અલ્કેશભાઇ, અને કેગુભાઈ પાસેથી પોલીસે ચોરી કરેલી 15,000/- રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી જેમાં ઝડપાયેલા 3 આરોપી અને અન્ય 2 આરોપીઓ મળી કુલ 5 લોકોએ પાવાગઢની તળેટી ચાંપાનેરમાં આવેલ શ્વેતાંબર જૈન મંદિરની કાચની બારીનો નકુચો તોડી બારી ખોલી મંદિરમાં પ્રવેશ કરી દાન પેટીની ચોરી કરી હોવાની અને તે દાનપેટીને પાવાગઢના જંગલમાં તોડી તેમાંથી નીકળેલી રકમ સરખી ભાગે વહેંચી લીધી હોવાનું કબૂલ્યું હતું જેમાં જિલ્લા એલસીબી પોલીસે ઝડપાયેલા 3 આરોપીઓને પાવાગઢ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহা অংকুৰ জ্যোতি বিহুবা দলৰ ৮দিনীয়া বিহু কৰ্মশালা ১৯ মাৰ্চৰ পৰা।
২৬ মাৰ্চৰ মুখ্য আকৰ্ষণ "শ্ৰীভুমি অসম"
ৰহা অংকুৰ জ্যোতি বিহুবা দলে ৰহা ৰাইজৰ সহযোগত প্ৰত্যেক বৰ্ষৰ দৰে এই বছৰো ৮ দিনীয়া কাৰ্য্য সূচীৰে...
Uttarakhand Tunnel Rescue में Auger Machine चलाने वाले नौशाद और NDRF के जवानों से मिलिए (BBC Hindi)
Uttarakhand Tunnel Rescue में Auger Machine चलाने वाले नौशाद और NDRF के जवानों से मिलिए (BBC Hindi)
NPS বাতিলৰ দাবীত তিনিচুকীয়াত ৰে’লৱে মজদুৰ ইউনিয়নৰ প্ৰতিবাদ
NPS বাতিলৰ দাবীত নিউ তিনিচুকীয়া ৰে’লৱে ষ্টেচনত ৰে’লৱে মজদুৰ ইউনিয়নৰ প্ৰতিবাদ ৷
Sandeshkhali News: Abhishek Banerjee ने साधा BJP पर निशाना, कहा- शुभेंदु अधिकारी को कहते थे चोर
Sandeshkhali News: Abhishek Banerjee ने साधा BJP पर निशाना, कहा- शुभेंदु अधिकारी को कहते थे चोर
अखिल भारतीय मेडतवाल वैश्य पंचायतों का सम्मेलन रविवार को
मेडतवाल वेश्य समाज की अखिल भारतीय पंचायत के करीब 50 शहर व गाँव के अध्यक्ष व महामन्त्री की समाज...