જુઓ વાદળોથી ઘેરાયેલા પાવાગઢ નો સુંદર નજારો

હાલ ચોમાસાની ઋતુમાં પાવાગઢ મંદિરના એક આહલાદક દ્રશ્યો જ જોવા મળી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુમાં વાદળછાંયા વાતાવરણમાં મંદિરમાં ઉભા હોય ત્યારે જાણે વાદળો અડી જાય તેવો અહેસાસ થાય છે. ત્યારે વાદળછાંયા વાતાવરણમાં માના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળે છે. સૌ કોઇ આ કુદરતી નજારો નિહાળવા માટે મંદિરમાં જઇને ધન્યતા અનુભવી રહ્યા છે. આ આહલાદક નજારો જોતા જ લાગે કે જાણે વાદળો વચ્ચે મંદિર ઢંકાય ગયુ છે.