માં ભારતીના મહાન સપૂત,મહાન રાષ્ટ્રભક્ત તથા ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ સોજીત્રા શહેર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી તેમના ચરણોમાં વંદન કર્યા હતાં.

આ પ્રસંગે તેઓની સાથે સોજીત્રા તાલુકા સંગઠન પ્રમુખશ્રી ભાસ્કરભાઈ ગોહેલ, મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, શ્રી બળદેવભાઈ પરમાર, સોજીત્રા શહેર મહામંત્રીશ્રી રાકેશભાઈ બારોટ, જીલ્લા પંચાયત સભ્યશ્રી રમેશભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્યશ્રી, યુવા મોરચાના કાર્યકર્તાઓ, આણંદ જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને સોજીત્રા નગરપાલિકા પ્રમુખશ્રી રજનીકાંતભાઈ પટેલ તેમજ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.