તુર્કીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા હતા. બે કાર સામસામે અથડતાં આ ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગુજરાતના ચારેય વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં. જેમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. રજા હોવાથી તેઓ ફરવા માટે નીકળ્યાં હતાં અને કાળનો કોળિયો બની ગયા હતા. મૃતકોમાં બે સ્ટુડન્ટ બનાસકાંઠાના અને બે સ્ટુડન્ટ પોરબંદરના હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં. પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ આગઠ, અંજલિ મકવાણા, પૃષ્ટી પાઠક, તમામ વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા. મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની પરિવારે માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના વડગામના ભાંગરોડિયા ગામની પૃષ્ટી પાઠકનામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી જો કે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોવાથી ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા આ દરમ્યાન કિરેનિયા નજીક હાઇવે પર પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ભાંગરોડીયાની પૃષ્ટી પાઠક સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા જોકે વિદેશની ધરતી પર ભાંગરોડીયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવાર જનોમાં માતમ છવાયો છે,