લખતર તાલુકાનાં મોઢવાણા ગામે સોમવારે પોતાનાં નાનાભાઈની અંતિમ યાત્રાએ ગયેલા મોટાભાઈ ઘર તરફ પગપાળા પરત ફરતા હતા. આ સમયે મોઢવાણા નજીક હાઇવે પર ગાડીએ ટક્કર મારતા મોટાભાઈને ઇજાઓ થતા સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.લખતર પંથકનાં લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર તો રોજબરોજ અકસ્માતો નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત લખતર-વઢવાણ હાઇવે ઉપર પણ અકસ્માતો થઇ રહ્યા છે. ત્યારે હવે સુરેન્દ્રનગર-માલવણ સ્ટેટ હાઇવે ઉપર લખતર તાલુકાનાં મોઢવાણા નજીક અકસ્માતનો બનાવ તા.3-7-23ને સોમવારે સવારમાં બન્યો હતો.મળતી માહિતી અનુસાર મોઢવાણા ગામનાં 65 વર્ષના પ્રવીણસિંહ અણદુભા ઝાલાનું અવસાન થયું હતું. આથી મોઢવાણા ગામમાં આવેલા સ્મશાનમાં 70 વર્ષના બહાદુરસિંહ અણદુભા ઝાલા પોતાનાં નાના ભાઈ પ્રવીણસિંહ અણદુભા ઝાલાની સ્મશાન યાત્રામાં ગયા હતા. મોઢવાણા ગામના સ્મશાન યાત્રા બાદ તેઓ ત્યાંથી પગપાળા ઘરે પરત ફરતા હતા.આ સમયે આ રોડ ઉપરથી પસાર થતી એક ગાડીએ તેમને ટક્કર મારતાં બહાદુરસિંહ ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બહાદુરસિંહ અણદુભા ઝાલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત રાત દિવસ વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત રાત દિવસ વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ
टी-20 में 205 रन का दोहरा सतक बना के इतिहास रच दिया!
वेस्टइंडीज के ओलराउंडर कॉर्नवाल ने बुधवार क़ो इतिहास रच दिया! वाह T20 क्रिकेट में दोहरा सतक लगाने...
નડિયાદ: નાતાલ પર્વ અને નવા વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે નડિયાદ શહેરમાં નીકળી ક્રિસમસ પરેડ-૨૦૨૨
નડિયાદ: નાતાલ પર્વ અને નવા વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે નડિયાદ શહેરમાં નીકળી ક્રિસમસ પરેડ-૨૦૨૨
Nifty & Nifty Bank Today: Manas Jaiswal से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Manas Jaiswal से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...