લખતર તાલુકાનાં મોઢવાણા ગામે સોમવારે પોતાનાં નાનાભાઈની અંતિમ યાત્રાએ ગયેલા મોટાભાઈ ઘર તરફ પગપાળા પરત ફરતા હતા. આ સમયે મોઢવાણા નજીક હાઇવે પર ગાડીએ ટક્કર મારતા મોટાભાઈને ઇજાઓ થતા સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.લખતર પંથકનાં લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર તો રોજબરોજ અકસ્માતો નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત લખતર-વઢવાણ હાઇવે ઉપર પણ અકસ્માતો થઇ રહ્યા છે. ત્યારે હવે સુરેન્દ્રનગર-માલવણ સ્ટેટ હાઇવે ઉપર લખતર તાલુકાનાં મોઢવાણા નજીક અકસ્માતનો બનાવ તા.3-7-23ને સોમવારે સવારમાં બન્યો હતો.મળતી માહિતી અનુસાર મોઢવાણા ગામનાં 65 વર્ષના પ્રવીણસિંહ અણદુભા ઝાલાનું અવસાન થયું હતું. આથી મોઢવાણા ગામમાં આવેલા સ્મશાનમાં 70 વર્ષના બહાદુરસિંહ અણદુભા ઝાલા પોતાનાં નાના ભાઈ પ્રવીણસિંહ અણદુભા ઝાલાની સ્મશાન યાત્રામાં ગયા હતા. મોઢવાણા ગામના સ્મશાન યાત્રા બાદ તેઓ ત્યાંથી પગપાળા ઘરે પરત ફરતા હતા.આ સમયે આ રોડ ઉપરથી પસાર થતી એક ગાડીએ તેમને ટક્કર મારતાં બહાદુરસિંહ ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બહાદુરસિંહ અણદુભા ઝાલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEWS | ડીસાના ભીલડી પાસે રેલવેના બે ડબ્બા પટરી પરથી ઉતરી ગયા | VR LIVE
NEWS | ડીસાના ભીલડી પાસે રેલવેના બે ડબ્બા પટરી પરથી ઉતરી ગયા | VR LIVE
'ಇಫ್ಫಿ ಎಂಜಿಜಿಐ ಫೌಂಡೇಶನ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್' ವತಿಯಿಂದ ಹಲವು ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಸಮಾರಂಭಗಳು ನಡೆಯಲಿವೆ.
ಜುಲೈ 14, 2024
ಮರ್ರಿ ಗಿರಿರೆಡ್ಡಿ ಸಂಸ್ಥಾಪಕ ಅಧ್ಯಕ್ಷ ಇಫ್ಫಿ ಎಂಜಿಜಿಐ ಫೌಂಡೇಶನ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಮರ್ರಿ...
मध्य प्रदेश में यूनिवर्सिटी के 'कुलपति' अब कहलाएंगे 'कुलगुरु', मोहन कैबिनेट ने पास किया प्रस्ताव
मध्य प्रदेश में अब कुलपतियों को ‘कुलगुरु’ कहकर बुलाया जाएगा. सोमवार को मोहन कैबिनेट...