લખતર તાલુકાનાં મોઢવાણા ગામે સોમવારે પોતાનાં નાનાભાઈની અંતિમ યાત્રાએ ગયેલા મોટાભાઈ ઘર તરફ પગપાળા પરત ફરતા હતા. આ સમયે મોઢવાણા નજીક હાઇવે પર ગાડીએ ટક્કર મારતા મોટાભાઈને ઇજાઓ થતા સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.લખતર પંથકનાં લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર તો રોજબરોજ અકસ્માતો નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત લખતર-વઢવાણ હાઇવે ઉપર પણ અકસ્માતો થઇ રહ્યા છે. ત્યારે હવે સુરેન્દ્રનગર-માલવણ સ્ટેટ હાઇવે ઉપર લખતર તાલુકાનાં મોઢવાણા નજીક અકસ્માતનો બનાવ તા.3-7-23ને સોમવારે સવારમાં બન્યો હતો.મળતી માહિતી અનુસાર મોઢવાણા ગામનાં 65 વર્ષના પ્રવીણસિંહ અણદુભા ઝાલાનું અવસાન થયું હતું. આથી મોઢવાણા ગામમાં આવેલા સ્મશાનમાં 70 વર્ષના બહાદુરસિંહ અણદુભા ઝાલા પોતાનાં નાના ભાઈ પ્રવીણસિંહ અણદુભા ઝાલાની સ્મશાન યાત્રામાં ગયા હતા. મોઢવાણા ગામના સ્મશાન યાત્રા બાદ તેઓ ત્યાંથી પગપાળા ઘરે પરત ફરતા હતા.આ સમયે આ રોડ ઉપરથી પસાર થતી એક ગાડીએ તેમને ટક્કર મારતાં બહાદુરસિંહ ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બહાદુરસિંહ અણદુભા ઝાલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ થતા જ લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ખેડબ્રહ્માના દિધીયા ખાતે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો 
 
                      *ખેડબ્રહ્માના દિધીયા ખાતે આત્મા પ્રોજેક્ટ ધ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ...
                  
   એસઓજી પોલીસ દ્વારા અલીન્દ્રા ચોકડી પાસે શૈક્ષણિક સંસ્થામા રૂમો બનાવી ભાડે આપી પોલીસને જાણ નહીં કરતા જાહેરનામા ભંગ ની કાર્યવાહી કરી 
 
                      પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ કાલોલ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અલીન્દ્રા ચોકડી પાસે હોટલ ની...
                  
   બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કર્યો પશુપાલક હિતલક્ષી નિર્ણય, દૂધ ના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂ.૩૦ નો કર્યો વધારો.. 
 
                      બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કર્યો પશુપાલક હિતલક્ષી નિર્ણય..
દૂધ ના પ્રતિ કિલો ફેટના ખરીદ...
                  
   Anju Nasrullah News: 'भारत एक सम्मानित देश है, मैं शर्मिंदा हूं Anju के पिता ने सरकार से मांगी  माफी 
 
                      Anju Nasrullah News: हिन्दुस्तान से पाकिस्तान अपने दोस्त से मिलने गई अंजू के पिता गया प्रसाद थॉमस...
                  
   
  
  
  
  