જુનાગઢ સ્થિત ડોક્ટર સુભાષ યુનિવર્સિટી ખાતે ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લીધી હતી. આ તકે ડોક્ટર સુભાષ યુનિવર્સિટી પ્રત્યે સંતોષકારક ભાવના વ્યક્ત કરી તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી ના હર ઘર તિરંગા કાર્યક્રમને ધ્યાન રાખી ડોક્ટર સુભાષ પરિવારની ટીમ દ્વારા મતવિસ્તારના ધારાસભ્ય શાળા ના પાંચ હજારથી વધુ સદસ્યો એકઠા થઈને ભારતના 75 માં આઝાદી દિવસના ભાગરૂપે ભારત પ્રત્યે ગર્વ અને લાગણી વ્યક્ત કરી આઈ લવ ઇન્ડિયાના સ્વરૂપમાં ચિત્ર ની અંદર 500 થી વધુ સદસ્યો એ તિરંગો ને સન્માન આપ્યું હતું ઉલેખનીય છે કે ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા દ્વારા પોતાની યુનિવર્સિટી ની માન્યતા મળતા એક વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હોય તેમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ની નિમણૂક કરવામાં આવ્યા હતા

તેમના મતવિસ્તારના ધારાસભ્ય જવારભાઈ ચાવડાના આમંત્રણ ને માન આપી જીતુભાઈ વાઘાણી જુનાગઢના મહેમાન બન્યા હતા તેમને આમંત્રણ ને માન આપી પધારવા બદલ જવાહરભાઈ દ્વારા તેમનું પુષ્પ ગુચ્છ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું અને તેમની યુનિવર્સિટીની મુલાકાત પણ કરી હતી