રાજ્યમાં મેઘ તાંડવ યથાવત છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1 થી 16 ઈંચ વરસાદ પડ્યો છે. આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે - બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મુસળાધાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યુ હોય એમ 16 ઈંચ વરસાદ ખાબક્યો છે, આથી રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયાં છે. ભેંસાણમાં આજે સવારે 2 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ધરમપુરમાં 5 ઈંચ અને ધારીમાં સાડાચાર ઈંચ વરસાદ પડ્યો છે. ઓઝત નદીનો પાળો તૂટતા માણાવદર તાલુકાના ઘેડ પંથકના કોયલાણા ગામમાં પાણી ફરી વળ્યાં છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે, જેથી અનેક માર્ગો પણ બંધ થયા છે. બગસરા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા બગસરા - અમરેલી બાયપાસ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તેમજ મુંજીયાસર ડેમ ઓવરફ્લો થવાના કારણે સાતલડી નદી ગાંડીતૂર બની હતી. ત્યારે નદીમાં ઢુંઢીયાપીપળીયા ગામમાં માલધારીનો ફરજો ધરાશાયી થતા 5 ઘેટાંના મોત થયા છે. જાબાળ ગામમાં સુરજવડી નદી બે કાંઠે વહેતા લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે. તેમજ ગામમાં બે મકાન ધરાશાયી થયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाराष्ट्र चुनाव पर कांग्रेस CEC की बैठक रद्द:आज मीटिंग के बाद पहली लिस्ट आ सकती थी
महाराष्ट्र कांग्रेस आज (20 अक्तूबर) को होने वाली केंद्रीय चुनाव समिति (CEC) की बैठक रद्द हो गई...
પેટલાદમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું.
પેટલાદ શહેરમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.ત્યારે આગામી...
শালিকীহাটৰ জ্যোতি বিষ্ণু প্ৰকল্পত ৭৫ সংখ্যক স্ব-ৰাজ বৌদ্ধিক জন সভা
শালিকীহাটৰ জ্যোতি বিষ্ণু প্ৰকল্পত ৭৫ সংখ্যক স্ব-ৰাজ বৌদ্ধিক জন সভা।
দীৰ্ঘ দিন ধৰি হাহাকাৰ কৰিব লগিয়া হৈছে পথচাৰীয়ে
দীৰ্ঘ দিন ধৰি হাহাকাৰ কৰিব লগিয়া হৈছে পথচাৰীয়ে
राष्ट्रीय पल्स पोलियो टीकाकरण दिवस 30 जून को 29 को निकाली जाएगी जन चेतना रैली
आगामी 30 जून को आयोजित होने वाले राष्ट्रीय पल्स पोलियो टीकाकरण दिवस के तहत आमजन को जागरूक करने के...