અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામે શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા માહિતી શિબીર યોજાય.

તા.૨૯/૦૬/૨૦૨૩ ના રોજ શ્રી કોળી યુવા ક્રાંતી સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ખાંભા તાલુકાના પીપળવા ગામે માહિતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી શ્રી જગદીશભાઈ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.તેમજ કારકિર્દી માર્ગદર્શન અને રોજગારી સંબધિત વિશેષ માહિતી શ્રી કિશોરભાઈ ખસિયા દ્વારા આવી હતી.તેમજ ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી હસમુખભાઈ શિયાળ દ્વારા કાયદાકીય ટૂંકમાં માહિતી આપી હતી ,આ શિબિરમાં અન્ય ટ્રસ્ટી શ્રી ડાયાભાઇ સાંખટ ,શ્રી હસમુખભાઈ રાઠોડ ,મુકેશભાઈ સોલંકી વિવિધ ગામોના આગેવાનો તેમજ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી જયસુખભાઇ રાઠોડ,તેમજ સમાજના આગેવાનો,વડીલો,યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંતમાં આભારવિધિ ટ્રસ્ટી શ્રી હરેશભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી.