સાયલા તાલુકાના વડિયા ગામની સીમ જમીનમાં કપાસનો વાવેતર હોવાને કારણે વસંતબેન ધુળાભાઈ દુમાદિયા પોતાના ખેતરે આંટો મારવા ગયા હતા. આ દરમિયાન તેમની બાજુની વાડીના માલિક રણછોડભાઇ લાલભાઇ દુમાદીયા તથા તેમના પત્ની હંસાબેન પોતાની વાડીમાં કપાસના વાવેતરમાં નીંદતા હતા.વસંતબેનની વાડીના ઉગમણા બાજુની જમીનમાં રણછોડભાઈ વાડીનો ઉગમણા શેઢાની જમીન છોરિયા વડે ખોદતા હતા. જેથી વસંતબેને અમારી બાજુનો શેઢો શા માટે ખોદો છો તેમ કહેતા રણછોડભાઈ આવેશમાં આવી ગયા હતા અને અહીં ક્યાં તારું છે. આતો મારો શેઢો છે. તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા.જેથી વસંતબેને ગાળો બોલવાની ના પાડતા રણછોડભાઈના પત્ની હંસાબેન પણ મારી પાસે આવીને મને ગાળો આપીનેને કહેવા લાગેલ કે અહીં ત્યાં તારો શેડો છે. જેથી તેઓને ગાળો દેવાની ના પાડતા વસંતબેનને હંસાબેને પકડી રાખી હતી અને તેમના પતિ રણછોડભાઇએ તેમના હાથમાં રહેલ છરી વડે વસંતબેનના શરીરે આડેધડ બે ત્રણ ઘા કરતા મુઢમાર વાગેલ અને મને પછી મારી નીચે પાડી માર માર્યો હતો.ઉપરાંત રણછોડભાઈ અને તેના પત્નીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે વસંતબેન ને પોતાના પરિવારને જાણ કરતા તેમને સારવાર માટે સાયલાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. સાયલા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શશીધન ડે સ્કુલ માં વેકેશન દરમ્યાન સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
શશીધન ડે સ્કુલ માં વેકેશન દરમ્યાન સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે લિમીટેડ સીટ હોવાથી વહેલાં...
અમિત ચાવડાએ કહી હતી જે આ કાંડમાં મૃત્યુ પામેલા છે તેમના બાળકોને ધોરણ12સુધી ભણાવવાની સંપૂર્ણ જવાબદારી
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એ કહી હતી જે આ કાંડમાં મૃત્યુ પામેલા છે...
Royal Enfield Himalayan 452 का इंजन होगा इतना पावरफुल, कंपनी ने जारी किए आंकड़े
RE Himalayan 452 के इंजन को लो-एंड टॉर्क के लिए ट्यून किया गया है। कंपनी ने अपने इस नए इंजन को...
গোলাঘাট শাখা সাহিত্য সভাৰ উদ্যোগত বক্তৃতানুষ্ঠান
গোলাঘাট শাখা সাহিত্য সভাৰ উদ্যোগত বক্তৃতানুষ্ঠান অনুস্থিত
গোলাঘাট ১৯ মাৰ্চ
গোলাঘাট শাখা...
बिहार में हिंसा की साजिश! CM नीतीश बोले- किसी ने कुछ गड़बड़ किया है, अमित शाह का दौरा रद्द करने पर दिया ये जवाब
बिहार के अलग-अलग जिलों में रामनवमी के अगले दिन शुक्रवार को जमकर हिंसा हुई। सीएम के गृह...