સાવરકુંડલા ટાઉન શહેર ખાતે આગામી હિન્દુ મુસ્લીમ સમાજના તહેવારો ધ્યાને રાખી શાંતિસમિતિની મીટીંગનુ આયોજન કરાયુ . મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબની અધ્યક્ષતા તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેરમા તથા સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યોજાનાર આગામી મહોરમ તાજીયા , જન્માષ્ટમી તથા ગણેશ ચતુર્થી ના તહેવારો અનુસંધાને યોજાનાર યાત્રા - ઝુલુશ તથા ધાર્મિક કાર્યક્રમોને ધ્યાને લઇ સાવરકુંડલા શહેર ખાતે શાંતિ સમીતીની બેઠકનુ આયોજન કરવામાં આવેલ . જેમા સાવરકુંડલા શહેર તથા સાવરકુંડલા તાલુકાના હિન્દુ - મુસ્લીમ સમાજના તહેવારોની ઉજવણી કરનાર આયોજકો તથા રાજકીય આગેવાનો તથા વિવિધ જ્ઞાતીના આગેવાનો તથા વેપારી આગેવાનો તથા પત્રકારો હાજર રહેલ . મિટીંગમા જિલ્લા પોલીસ અધિક્ષક અમરેલી , નાઓ દ્વારા આગામી તહેવારો શાંતિપુર્વક તેમજ ભાઇચારાની ભાવના સાથે ઉજવવા અપીલ કરેલ તથા જાહેર કાયદો અને વ્યવસ્થા જળવાય તથા ટ્રાફીક વ્યવસ્થા ની જાળવણી સાથે તથા તહેવારો શાંતિમય વાતાવરણ મા ઉજવાય તેવી અપીલ કરેલ . મીટીંગમા હાજર આગેવાનોએ તહેવારો શાંતિપુર્ણ રીતે ઉજવવા ખાતરી આપેલ .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.

રિપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી