સાયલા ચોટીલા હાઈવે પર ચોટીલા દર્શન કરવા જતા પરિવારને અકસ્માત નડયો હતો. અમદાવાદના મણિનગર ખાતે રહેતા પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ થતાં સાયલા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદથી દેવ દર્શને બ્રહ્મભટ્ટ પરિવાર રવિવારના રોજ નીકળ્યો હતો. અમદાવાદના મણીનગર હીરાભાઈ ટાવર સામે રહેતો પરિવાર ગણપતપુરા- સારંગપુર થઈ ચોટીલા દર્શને જઈ રહ્યો હતો ત્યારે સાયલાથી ગોસળ પાસે ખાલસા હોટલની સામે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વેગેનાર કાર 15 ફૂટ જેટલી ખાઈમાં પડી હતી.અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતા ખાઈમાંથી પરિવારને બહાર કાઢવામાં આવ્યા હતા. જે દરમિયાન પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પસાર થતા તેને માનવતા બતાવી તમામ ઈજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજેશભાઈ નરેશચંદ્ર બ્રહ્મભટ્ટ ઉં.53, આશાબેન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ ઉં. 48, ભૂમિબેન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ ઉં. 25 ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. જ્યારે હર્ષ રાજેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ અવનીબેન રાજેશભાઈને કોઈ ઈજા થયેલ ન હતી. આ બાબતની સાયલા પોલીસને જાણ થતા દોડી આવી હતી તેમજ પરિવારનો સામાન ગાડીમાંથી સહી સલામત લઈ પરિવારને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tech News :- Xiaomi के इन प्रीमियम स्मार्टफोन की कीमतों में 20,000 रुपये तक की कटौती, खरीदने वालों की मची होड़
Xiaomi Smartphone Price Dropped अगर आप कम दाम में एक प्रीमियम स्मार्टफोन खरीदना चाहते हैं तो आपके...
ધાનેરા તાલુકાના મગરાવા પ્રાથમિક શાળા માં પી આઇ સાહેબ શ્રી એ. ટી પટેલ શુભેરછા મુલાકાત કરવામાં આવી
ધાનેરા તાલુકાના મગરાવા પ્રાથમિક શાળા માં પી આઇ સાહેબ શ્રી એ. ટી પટેલ શુભેરછા મુલાકાત કરવામાં...
#amreli | રાજુલા PGVCL ઓફિસ ખાતે વીજ પ્રશ્નોના નિરાકરણ માટે લોક દરબાર યોજાયો | Divyang News
#amreli | રાજુલા PGVCL ઓફિસ ખાતે વીજ પ્રશ્નોના નિરાકરણ માટે લોક દરબાર યોજાયો | Divyang News
MCN NEWS | अवैध दारु विक्री, तिघांकडून ७१ हजारांचा साठा जप्त....
MCN NEWS | अवैध दारु विक्री, तिघांकडून ७१ हजारांचा साठा जप्त....
डेयरी बूथ आवंटियों की समस्याओं को लेकर मीटिंग संपन्न
जयपुर डेयरी बूथ संघर्ष एवं प्रबंध समिति के तत्वाधान में आज सेंटर पार्क में गहलोत सरकार में आवंटित...