સાયલા ચોટીલા હાઈવે પર ચોટીલા દર્શન કરવા જતા પરિવારને અકસ્માત નડયો હતો. અમદાવાદના મણિનગર ખાતે રહેતા પરિવારના ત્રણ સભ્યોને ઈજાઓ થતાં સાયલા હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદથી દેવ દર્શને બ્રહ્મભટ્ટ પરિવાર રવિવારના રોજ નીકળ્યો હતો. અમદાવાદના મણીનગર હીરાભાઈ ટાવર સામે રહેતો પરિવાર ગણપતપુરા- સારંગપુર થઈ ચોટીલા દર્શને જઈ રહ્યો હતો ત્યારે સાયલાથી ગોસળ પાસે ખાલસા હોટલની સામે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા વેગેનાર કાર 15 ફૂટ જેટલી ખાઈમાં પડી હતી.અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતા ખાઈમાંથી પરિવારને બહાર કાઢવામાં આવ્યા હતા. જે દરમિયાન પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પસાર થતા તેને માનવતા બતાવી તમામ ઈજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજેશભાઈ નરેશચંદ્ર બ્રહ્મભટ્ટ ઉં.53, આશાબેન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ ઉં. 48, ભૂમિબેન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ ઉં. 25 ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. જ્યારે હર્ષ રાજેશભાઈ બ્રહ્મભટ્ટ તેમજ અવનીબેન રાજેશભાઈને કોઈ ઈજા થયેલ ન હતી. આ બાબતની સાયલા પોલીસને જાણ થતા દોડી આવી હતી તેમજ પરિવારનો સામાન ગાડીમાંથી સહી સલામત લઈ પરિવારને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দক্ষিণ শালমাৰা মানকাচৰৰ হাটশিঙিমাৰীত কংগ্ৰেছ দলৰ স্বাধীনতাৰ গৌৰৱময় যাত্ৰা
দক্ষিণ শালমাৰা মানকাচৰ জিলা সদৰ হাটশিঙিমাৰীত কংগ্ৰেছ দলে ৭৫ সংখ্যক বৰ্ষপূৰণ উপলক্ষে স্বাধীনতাৰ...
'हमसे पूछा तक नहीं गया', यूपी उपचुनाव के लिए सपा ने जारी की लिस्ट; छलका कांग्रेस का दर्द
नई दिल्ली। हरियाणा की सत्ता में वापसी का सपना देख रही कांग्रेस को तगड़ा झटका लगा है। चुनाव...
गृहमंत्री अमित शाह बोले- UP में विकास की अपार संभावनाएं, बड़ी संख्या में निवेशक यहां कर रहे निवेश
जीआईएस-23 का आज से (शुक्रवार) शुरू हुआ तीन दिवसीय मेगा इंवेंट यूपी का भाग्य बदलने वाला है अौर आने...
Lok Sabha Election 2024 Phase 1 Voting: 21 राज्य, 102 सीटें और 16 करोड़ वोटर, पहले चरण की वोटिंग आज
Lok Sabha Election 2024 Phase 1 Voting: 21 राज्य, 102 सीटें और 16 करोड़ वोटर, पहले चरण की वोटिंग आज
કેટલા લોકો કેજરીવાલને PM તરીકે ઈચ્છે છે, સર્વેએ જણાવ્યું કે મોદીની સરખામણી ક્યાં છે
આમ આદમી પાર્ટી (AAP) એ જાહેરાત કરી છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદના...