ગૌરીવ્રતના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરવર્ષની જેમ તારાપુરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગૌરીવ્રત નિમિતે નાની બાળકીઓને વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ ભેટ આપતા હોય છે જે અંતર્ગત તારાપુર શહેરની ગૌરીવ્રત કરતી નાની બાળકીઓને શ્રી માધવાનંદ સેવા ટ્રસ્ટ નડિયાદની પ્રેરણાથી સ્વામી વિવેકાનંદ શાખા તારાપુર દ્વારા વાંસની ટોપલી અને બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્વામિ વિવેકાનંદ શાખા તારાપુર દ્વારા નાની બાળકીઓ માટે ગૌરીવ્રત નિમતે 105 બાળકીઓને વાંસની ટોપલી અને બિયારણનું વિતરણ તારાપુરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.

ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ તારાપુર