ચોટીલા અને મોરબીના હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકો દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 19 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે 2 આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર કતલખાને 19 પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી અને ચોટીલા હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર GJ-3-AT-2989 અને બીજી આઈસર ગાડી નં. GJ-13-AT-9779 ને રાત્રે 2 વાગ્યે ચોટીલા બાઉન્ડ્રી પાસે રોકવામાં આવી હતી અને તપાસ કરતાં બન્ને આઈસરમાં ભેસો અને પાડા મળી કુલ 19 પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. તેથી હિન્દુ યુવા વાહિની દ્વારા બન્ને વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ કામગીરીમાં હરેશભાઈ ચૌહાણ, દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), જયનભાઈ અજયભાઈ પરમાર, પ્રશાંતભાઈ, હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, જીતુભાઈ ચાવડા, પંકજભાઈ નકુમ, જયદીપભાઈ, પાર્થભાઈ, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), વૈભવભાઈ પટેલ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिर्फ 10 हजार में मिल रहा 8GB रैम और 50MP कैमरा वाला Realme का सबसे पतला फोन, ग्राहकों की हो गई चांदी
Realme Narzo N53 Smartphone Discount Offer Amazon पर Realme Narzo N53 पर 21% का बंपर डिस्काउंट...
प्रकाश जायसवाल राजस्थान राज्य भारत स्काउट का गाइड के जिला अध्यक्ष निर्वाचित
राजस्थान राज्य भारत स्काउट व गाइड जिला मुख्यालय कोटा की जिला परिषद के निर्वाचन की प्रक्रिया...
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಉದ್ಯೋಗದ ಆಮಿಷವೊಡ್ಡಿ ವೇಶ್ಯಾವಾಟಿಕೆ : 26 ಯುವತಿಯರ ರಕ್ಷಣೆ, 9 ಆರೋಪಿಗಳ ಬಂಧನ
ಬೆಂಗಳೂರಿನ ಜ್ಞಾನಭಾರತಿ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ವೇಶ್ಯಾವಾಟಿಕೆ ಅಡ್ಡೆ ಮೇಲೆ ಸಿಸಿಬಿ ಪೊಲೀಸರು ದಾಳಿ...
APSC পৰীক্ষাত অৱতীৰ্ণ হব বিচৰা সকলৰ বাবে ভাল খবৰ
APSC ৰ পৰীক্ষাত অৱতীৰ্ণ হ'বলৈ ইচ্ছুক সকলৰ বাবে গুৰুত্বপূৰ্ণ খবৰ। Dream Zone IAS ৰ তৰফৰপৰা APSC...
SC વિદ્યાર્થીઓ માટે સરકારનો મોટો નિર્ણય
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે અનુસૂચિત જાતિ (SC)ના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા, પોસ્ટ...