ચોટીલા અને મોરબીના હિન્દુ યુવા વાહિનીના ગૌરક્ષકો દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 19 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.હિન્દુ યુવા વાહિનીના સભ્યોને જાણકારી મળી હતી કે 2 આઈસર ગાડીમાં વાંકાનેરથી અમદાવાદ તરફ ગેરકાયદેસર કતલખાને 19 પશુઓને લઈ જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી અને ચોટીલા હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકોની ટીમ દ્વારા આઇસર નંબર GJ-3-AT-2989 અને બીજી આઈસર ગાડી નં. GJ-13-AT-9779 ને રાત્રે 2 વાગ્યે ચોટીલા બાઉન્ડ્રી પાસે રોકવામાં આવી હતી અને તપાસ કરતાં બન્ને આઈસરમાં ભેસો અને પાડા મળી કુલ 19 પશુઓ ગેરકાયદે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. તેથી હિન્દુ યુવા વાહિની દ્વારા બન્ને વાહનના ચાલકોને પકડીને પોલીસને સોંપ્યા હતા અને ચોટીલા ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ કામગીરીમાં હરેશભાઈ ચૌહાણ, દલસુખભાઈ (ચોટીલા), અનિલભાઈ મહેશભાઈ (ચોટીલા), જયનભાઈ અજયભાઈ પરમાર, પ્રશાંતભાઈ, હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, જીતુભાઈ ચાવડા, પંકજભાઈ નકુમ, જયદીપભાઈ, પાર્થભાઈ, દિનેશભાઈ (એવીજીપી દિલ્હી), હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ), વૈભવભાઈ પટેલ જોડાયા હતા અને પશુઓને કતલખાને જતાં બચાવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
New-generation Bentley Flying Spur की पहली झलक आई सामने, इन खूबियों के साथ साल के अंत तक मार सकती है एंट्री
नई पीढ़ी की बेंटले फ्लाइंग स्पर में W12 मोटर की जगह ज्यादा परफॉरमेंस और पर्यावरण के अनुकूल...
પાટડી પંથકના એક ગામના બે ઈસમો દ્વારા મોઢું દબાવી વારાફરતી પરિણિતાની મરજી વિરૃદ્ધ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ
પાટડી પંથકના એક ગામના બે ઈસમો દ્વારા મોઢું દબાવી વારાફરતી પરિણિતાની મરજી વિરૃદ્ધ દુષ્કર્મ...
સુરત શહેર સહિત જિલ્લાના વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ઘરે જઈ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ કર્યા
સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા મતદાર મંડળમાં આગામી તા. ૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીના...