સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સુરઈ ગામ ખાતે સોલાર પ્લાન્ટમાં કોપર વાયરોની ચોરી થવા પામી છે ત્યારે આ અંગેની જાણકારી તાત્કાલિક અસરે સિક્યુરિટીને મળતા ની સાથે જ સોલર પ્લાન્ટના માલિકને જાણકારી આપી હતી અને તપાસ હાથ ધરવામાં આવતા કોપર વાયરો ચોરાયા હોવાની જાણકારી મળી હતી ત્યારે તાત્કાલિક અસર એ પોલીસ તંત્રને પણ આ અંગેની જાણકારી આપવામાં આવતા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવતા એક લાખ 95000 ના કોપર વાયરો ચોરાયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા તાલુકાના સુરાઈ ગામ ખાતે જયસુખભાઈના સોલર પ્લાન્ટમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકીયા હતા અને આ સોલાર પ્લાન્ટ માંથી કોપર વાયરોની મોટી માત્રામાં ચોરી થવા પામી છે ત્યારે જયસુખભાઈએ ચોટીલા પોલીસ મથકમાં 1,95,000 ના કોપર વાયર સોલાર કંપની માંથી ચોરાયા હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે આ અંગેની ફરિયાદ નોંધ અને હાલમાં ચોટીલા પોલીસે અને પીએસઆઇ એસએસ બારૈયા એ તપાસ હાથ ધરી છે.