સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સતાપરના ડેમમાં 23 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જેથી યુવાનની ડેડબોડીને પોસ્ટ મોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કુડા રોડ ઉપર સતાપરના ડેમમાં રવિ ઠાકોર નામના 23 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. યુવાન પોતે લાબું તરી શકવાની પ્રેક્ટિસ વાળો હોવા છતાં ડેમમાં બહુ દૂર સુધી જઈ પાછા વળતા પોતે થાક્યો હતો અને ડૂબ્યો હતો. એની સાથે તરવા ગયેલા મિત્રો દ્વારા અનેક પ્રયત્ન કરવા છતાંય યુવાન બચી શક્યો ન હતો. જો કે, સ્થાનિક તરવૈયા જયદેવસિંહ ઝાલા અને 40 કીમી દૂર જતવાડથી આવેલા યાસીનખાન તેમજ આસિફખાન દ્વારા કલાકોની જહેમત બાદ યુવાનની લાશને બહાર કાઢી શકાઈ હતી. સ્થાનિક રહેવાસીઓ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ધ્રાંગધ્રા પાલિકામાં ફાયરમાં કુશળ તરવૈયાઓ ભરતી નહીં કરતાં હોવા બાબતે ફીટકાર જોવા મળી હતી. ઘણા કિસ્સાઓમાં સમયસર તરવૈયાઓ પહોંચી જાય તો ડૂબતો માણસ બચી શકે છે. તેમજ મરણ થવાના કિસ્સાઓમાં લાશ ઝડપથી બહાર કાઢી શકાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા તાલુકા શાળામાં મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ.
ધાનેરા તાલુકા શાળા નંબર-૧ માં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર...
World Cup 2023 में किस टीम की क्या है मजबूती और क्या कमजोरी ? | Team India Squad
World Cup 2023 में किस टीम की क्या है मजबूती और क्या कमजोरी ? | Team India Squad
ನೇಕಾರ ಸಮುದಾಯದ ನಿಯೋಗದ ಸದಸ್ಯರು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ಭೇಟಿಯಾದರು.
ವಿಧಾನಸೌಧದಲ್ಲಿ ನೇಕಾರ ಸಮುದಾಯದ ನಿಯೋಗದ ಸದಸ್ಯರು ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ಭೇಟಿಯಾಗಿ ವಿವಿಧ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ...
વાસોજ ગામના બસ સ્ટેશન વિસ્તારમાંથી અજગર દેખાયો@Live24 NewsGujarat
વાસોજ ગામના બસ સ્ટેશન વિસ્તારમાંથી અજગર દેખાયો@Live24 NewsGujarat
નવાગામનાં રોડ ખાતે લમ્પિગ્રસ્ત ગૌવંશનાં મૃતદેહો અંગે ગૌભક્ત દેસુર ધમાની પ્રતિક્રિયા
નવાગામનાં રોડ ખાતે લમ્પિગ્રસ્ત ગૌવંશનાં મૃતદેહો અંગે ગૌભક્ત દેસુર ધમાની પ્રતિક્રિયા