અગ્રવાલ મહિલા મંડળ ડીસા સમાજ ઉપયોગી કાર્યો કરી ડીસા પંથકમાં તેઓનું નામ ઉજ્જવળ કર્યું છે. રેલવે સ્ટેશન પાસેના અનાજ ગોડાઉન પાસે રહેતા સૂર્યાબેન દેવીપુજક જેવો નિરાધાર વિધવા અને ત્રણ પુત્રી અને બે પુત્રો કુલ પાંચ બાળકો નું જીવન નિર્વાહ ફક્ત વિધવા પેન્શન અને ઘાસચારો વેચી મજૂરીમાંથી માંડ માંડ ચલાવે છે. તેઓ પોતાના બાળકોને ભણવા લાયક હોવા છતાં આટલી ઓછી આવકમાં ભણાવી શક્તાં નહોતા, તેઓએ બાળકોને ભણાવવા મદદની અપીલ પ્રવીણભાઈ સાધુ ,નિવૃત્ત આચાર્ય (ચી.હં.દોશી) ને કરેલ. તેઓએ આ વાત અગ્રવાલ મહિલા મંડળ ડીસાને કરતાં તમામ સભ્યશ્રીઓએ બાળકોને શિક્ષણ અપાવવા જબરદસ્ત તૈયારી દર્શાવી.પ્રથમ તેઓની ટીમે સૂર્યાબેન ના ઘર ની મુલાકાત લઈ,પરિસ્થિતિ જાણી.બાળકોને અને ગંગાસ્વરૂપા સુર્યાબેન માટે ઘરે પહેરવા કપડાંની વ્યવસ્થા કર્યા બાદ એ બાળકોને નજીકની રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળામાં પુત્રી જમના 9 વર્ષ, પુત્રી વનિબેન 7 વર્ષ, દીકરા પ્રહલાદ ને પહેલા ધોરણમાં અને પુત્ર વિજયને બાળવાટિકામાં પ્રવેશ અપાવ્યો. રેલ્વેસ્ટેશન શાળાના આચાર્ય શાંતિભાઈ દેસાઈ અને તેજાભાઈ પ્રજાપતિ નો સહયોગ મળ્યો. ત્યારબાદ બાળકોને શાળાનો ગણવેશ, સ્કુલબેગ ,પાંચેય બાળકો ને પગરખાં અને નોટબુકો તેમજ અન્ય સ્ટેશનરી બજારમાંથી ખરીદી અપાવી. આ તમામ સામગ્રી મળતાં બાળકોના અને ગં.સ્વ. સુર્યાબેનના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી હતી ..અગ્રવાલ મહિલા મંડળના સભ્યો શ્રીમતી કૌશલ્યાબેન અગ્રવાલ, રેણુકાબેન, અમિતાબેન, વર્ષાબેન, રેખાબેન, ,પુષ્પાબેન, ઉષાબેન અગ્રવાલે અન્ય કોઈપણ પ્રકારની મદદની જરુર હોય તો મદદ કરવાની તત્પરતા દર્શાવી હતી. સમગ્ર ડીસા પંથકમાં અગ્રવાલ મહિલા મંડળ ડીસા એ વિદ્યાદાન દ્વારા માનવતાની મહેક ચોમેર પ્રસરાવી છે. શ્રી નિતીનભાઈ સોની (રાજપુર ) અને શ્રી રાહુલભાઈ ઠાકોર (સ્પોર્ટ્સ ટીચર) સરદાર પટેલ હાઇસ્કૂલ ડીસા નો પણ સહયોગ પ્રાપ્ત થયેલ છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે પોતાનું કાફલો રોકી ઇજાગ્રસ્ત હોસ્પિટલ પહોંચાડ્યો
રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ અકસ્માત થયેલ વ્યક્તિ ની મદદે આવ્યા
અરવલ્લી મુખ્યમંત્રી નો...
वाचनालयों में संस्कार निर्माण आधारित पुस्तकों की हो उपलब्धता - नवरत्न कोली
जिला निष्पादन समिति की बैठक गुरूवार को जिला कलक्टेªट सभागार में अतिरिक्त जिला कलक्टर...
પાટણની શાન રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લેતા શિક્ષણ રાજ્યમંત્રી | SatyaNirbhay News Channel
પાટણની શાન રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લેતા શિક્ષણ રાજ્યમંત્રી | SatyaNirbhay News Channel
વૃષભ અને મિથુન સહિત આ ચાર રાશિવાળાઓને સારા સમાચાર મળી શકે છે, વાંચો આજનું રાશિફળ
જ્યોતિષ શાસ્ત્રમાં જન્માક્ષર દ્વારા અલગ-અલગ સમયગાળા વિશે આગાહીઓ કરવામાં આવે છે. જ્યારે દૈનિક...
સુરત : સવાણી પરિવાર કરાવશે 300 પિતા વિહોણી દીકરીઓના લગ્ન | SatyaNirbhay News Channel
સુરત : સવાણી પરિવાર કરાવશે 300 પિતા વિહોણી દીકરીઓના લગ્ન | SatyaNirbhay News Channel