ભારતીય જનતા પાર્ટી-ગુજરાત દ્વારા આયોજિત કાર્યક્રમ અંતર્ગત વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ અને ભોજનનું આયોજન સોજીત્રા વિધાનસભામાં શ્રી સ્વામિનારાયણ મંદિર ગોકુલધામ નાર ખાતે સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય અને આણંદ જિલ્લા ભાજપા પૂર્વ પ્રમુખ વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.

સોજીત્રા ધારાસભ્ય દ્વારા વરિષ્ઠ કાર્યકર્તાઓનું બુક તેમજ શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં આણંદ જીલ્લા મહામંત્રી મયુરભાઈ સુથાર, જીલ્લા સંગઠન ઉપપ્રમુખ છત્રસિંહ જાદવ, સોજીત્રા તાલુકા સંગઠન મહામંત્રી બળદેવભાઈ પરમાર, તારાપુર તાલુકા સંગઠન પ્રમુખ પ્રવિણભાઈ વાઘેલા, સોજીત્રા શહેર મહામંત્રી રાકેશભાઈ બારોટ, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા પંચાયત દંડક અજયભાઈ ગઢવી, આણંદ જીલ્લા સહકારી સંઘના ચેરમેન અને સોજીત્રા નગરપાલિકા પ્રમુખ રજનીકાંતભાઈ પટેલ અને વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં