ધ્રાંગધ્રાના જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી છે.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 45 ) ગત તારીખ 17ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી. સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલો મૃતદેહ ધ્રાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તારાપુર રોટરી ક્લબનો ૩૮મો સપથવિધી સમારોહ યોજાયો
તારાપુર રોટરી ક્લબનો ૩૮મો સપથવિધી સમારોહ યોજાયો
जगद्गुरू नरेंद्राचार्यजी महाराज इन्स्टिट्यूटतर्फे पाली स्थानक स्वच्छ
रत्नागिरी : जगद्गुरू नरेंद्राचार्य महाराज एज्युकेशनल इन्स्टिट्यूटच्या विद्यार्थ्यांनी महात्मा...
हमारा आयुर्वेदिक ज्ञान देश से बाहर ले जाया गया:राज्यपाल बोले- पेटेंट कराने की जरूरत; कहा- खिलजी ने नालंदा का पुस्तकालय जला दिया था
जोधपुर के डॉ. सर्वपल्ली राधाकृष्णन आयुर्वेद यूनिवर्सिटी में आयुर्वेदिक औषधि मानकीकरण चुनौतियां और...
માજી સૈનિક કાનજીભાઈ મોથલિયા ને ન્યાય મલે તે હેતુ થી કલેક્ટરશ્રી ને આવેદનપત્ર
માજી સૈનિક કાનજીભાઈ મોથલિયા ને ન્યાય મલે તે હેતુ થી કલેક્ટરશ્રી ને આવેદનપત્ર
વાવ : ટડાવ ખાતે આવેલ શીતળા માતાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા | SatyaNirbhay News Channel
વાવ : ટડાવ ખાતે આવેલ શીતળા માતાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા | SatyaNirbhay News Channel