ધ્રાંગધ્રાના જેસડા ગામેથી બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આજે વહેલી સવારે મળી આવી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી છે.આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ( ઉંમર વર્ષ- 45 ) ગત તારીખ 17ના રોજ બપોરના ત્રણેક વાગ્યે ગુમ થયા હોવાની ધ્રાંગધ્રા પોલીસ મથકે જાણવા જોગ અરજી કરવામાં આવી હતી. સાથે જ પરિવારજનો દ્વારા અનિરુદ્ધસિંહની શોધખોળ પણ કરવામાં આવી રહી હતી. તેવામાં આજે વહેલી સવારે હળવદ તાલુકાના માલણીયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ યુવાનની લાશ મળી આવી હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન આવતા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મળી આવેલો મૃતદેહ ધ્રાંગધ્રાના જેસડા ગામના અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલાની હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કર્યા બાદ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આ જગ્યા પર ફૂંકાઈ શકે છે ભારે પવન....!
ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે કચ્છ, પાટણ, બનાસકાંઠા,...
આચાર સંહિતા અમલવારી : રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ દૂર કરાયા.
વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થયા બાદ આચાર સંહિતાની લાગુ થઈ જતા રાજકીય પક્ષોના બેનરો, હોર્ડિંગ્સ...
Delhi Politics: Arvind Kejriwal के घर के बाहर BJP का जोरदार प्रदर्शन, भ्रष्टाचार का लगाया आरोप
Delhi Politics: Arvind Kejriwal के घर के बाहर BJP का जोरदार प्रदर्शन, भ्रष्टाचार का लगाया आरोप
অসমৰ মাটিত অৰুণাচলৰ বন বিভাগে জৰীপ আৰম্ভ কৰাত আশ্বৰ্য প্ৰকাশ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ
অসমৰ মাটিত অৰুণাচলৰ বন বিভাগে জৰীপ আৰম্ভ কৰাত আশ্বৰ্য প্ৰকাশ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ।...