પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના ખેડૂતોએ નર્મદાની માઇનોર કેનાલ સાથે તળાવોના જોડાણ કરવાની માંગ સાથે નર્મદા વિભાગ , બહુચરાજીના ઇજનેરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર ન મળતા ખેડૂતો નારાજગી અનુભવી રહ્યા છે . વહેલી તકે આ સુવિધા મળે તેવી માગણી છે . ખેડૂતોએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે , પંચાસર ગામની સીમમાં શિયાળી તળાવ સર્વે નંબર -129 આવેલ છે . જ્યાંથી પેટા કેનાલ નીકળે છે . જે તળાવથી માત્ર 600 થી 800 ફૂટ જેટલી દૂર છે . શિયાળી તળાવમાં નર્મદાના પાણી ભરવામાં આવે તો અંદાજે 500 થી 600 વિઘા જમીનમાં પિયત થઈ શકે છે . વધુમાં જો પેટા કેનાલને તળાવ સાથે જોડવામાં આવે તો ખેડૂતોને લાંબી લાઇનો અને ખર્ચમાંથી બચત થાય તેમ છે . જેથી સત્વરે આ લાઈનનું તાત્કાલિક જોડાણ કરવા માટે અમારા બધા ખેડૂતોની માંગ છે પંચાસર ગામના ખેડૂતો કાનજીભાઈ ગોહિલ અને સુરેશભાઈ ગોહિલ સહિત અન્ય ખેડૂતોની રજૂઆત છતાં નર્મદા વિભાગ , બહુચરાજીના ઇજનેર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લીધે ખેડૂતો નારાજગી અનુભવી રહ્યા છે . તંત્ર દ્વારા સત્વરે નર્મદાની માઇનોર કેનાલ સાથે તળાવોના જોડાણ કરવાની કામગીરીની મંજૂરી આપીને કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एयर मार्शल अमर प्रीत सिंह वायु सेना के नए चीफ:30 सितंबर से जिम्मेदारी संभालेंगे
एयर मार्शल अमर प्रीत सिंह भारतीय वायु सेना के नए चीफ होंगे। वे 30 सितंबर को पदभार संभालेंगे। अमर...
Tech News :- Honor X50: प्रीमियम डिजाइन के साथ इस दिन लॉन्च होगा ऑनर का ये धांसू फोन, मिलेगा 108MP का कैमरा
Honor X50: प्रीमियम डिजाइन के साथ इस दिन लॉन्च होगा ऑनर का ये धांसू फोन, मिलेगा 108MP का कैमरा...
दिल्ली-जयपुर ई-हाइवे पर ट्रायल रन शुरू, इलेक्ट्रिक बस-कारों के लिए चार्जिंग जोन
भारत में दिल्ली से जयपुर हाईवे को तेजी से ई-हाइवे में बदला जा रहा है. इसके लिए पूरे हाईवे पर...