તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરી અને સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા 15 જેટલા પી.આઈ અને પીએસઆઇઓની બદલી કરી નાખવામાં આવી છે ત્યારે વઢવાણ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ની પણ આ મામલે બદલી કરવામાં આવી છે.ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ને બદલી કરી અને મૂળી પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે ત્યારે વઢવાણ પોલીસ મથકમાં નવા પીએસઆઇ તરીકે એમબી વીરજાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ગઈકાલે સાંજે ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ વઢવાણ પોલીસ મથકના પીએસઆઇ તરીકેનો ચાર્જ મુક્યો છે ત્યારે વઢવાણ પોલીસની ટીમ તથા સામાજિક ક્ષેત્ર ના આગેવાનો રાજકીય આગેવાનો તથા અલગ અલગ સમાજના હોદ્દેદારો દ્વારા વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રસિંહ ચુડાસમા ની બદલી બદલ મોમેન્ટો આપવામાં આવી છે અને આગામી કારકિર્દી માટેની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સારી એવી પરિસ્થિતિ જાળવવામાં હરહંમેશ ખડે પગે ઊભા રહેનાર ધર્મેન્દ્રસિંહ ચુડાસમા બદલી થતા વઢવાણ પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે આ વિદાય સમારંભમાં આગામી સમયમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી કામગીરી અને સારા ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે નવા પીએસઆઇ એમબી વિરજા નું પણ સ્વાગત કરવામાં આવ્યું છે.