સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે આવેલા માછીવાડમાં રહેતા અને દેરોદ ગામમાં તેમના ખેતરમાં ગટરનું ગંદકી યુક્ત પાણી જતા ખેડૂતોએ વારંવાર કરેલી મૌખિક રજૂઆતને કામરેજ ગ્રાં.પં સત્તધીશો અવગણતા ખેડૂતોએ લેખિતમાં રજૂઆત કરી હતી.કામરેજના માછીવાડમાં રહેતા ધર્મેશ હસમુખભાઈ,જેનીશ દિલીપ ભરૂચા,ભરત પરભુભાઈ ભરૂચા સહિતના ખેડૂતોની જીવાદોરી સામાન ખેતી વિષયક જમીન કામરેજ દેરોડ રોડ પર આવેલી છે.તેઓ તેમની એ ખેતી વિષયક જમીન ખેડી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે.તેમની ખેતી વિષયક જમીન જ્યાં આવેલી છે એવા કામરેજથી દેરોડ ગામ તરફ જતા રોડ પર જે.પી સ્કૂલની બાજુમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટી દ્વારા ગટરનું પાણી એ રોડની બાજુમાં બહાર કાઢવામાં આવે છે.જે ગટરનું ગંદકી યુક્ત પાણી ઉપરોક્ત તમામ ખેડૂતના ખેતરમાં પ્રવેશે છે.જે ગટરના પાણીના કારણે તેમને ખેતરમાં જવા માટેના રસ્તાની અગવડતા ઊભી થવા પામી છે.તેમજ એ જ ગટરનું પાણી સીધું ખેતરમાં પ્રવેશી ખેડૂતના પાકને નુકશાન કારક નીવડે છે.સોસાયટી દ્વારા છોડવામાં આવતા ગટરના ગંદકી યુક્ત પાણીની સમસ્યાના ઉકેલ માટે કામરેજ ગ્રામ પંચાયત સત્તધીશોને ખેડૂતો દ્વારા અનેકોનેક વાર મૌખિક રજૂઆત કરી હતી.પરંતુ સત્તાધીશો ખેડૂતની મૌખિક રજૂઆતને ઘોળીને પી ગયા હોય ખેડૂતો દ્વારા તેમને લેખિતમાં રજૂઆત કરી ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા રજૂઆત કરી હતી.ત્યારે આવનાર સમયમાં કામરેજ ગ્રામ પંચાયતના સત્તાધીશો ધરતીપુત્રોની સમસ્યાનો ઉકેલ લાવશે કે પછી ઘી ના ઠામમાં ઘી જ રહેશે એ જોવું રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिवशाही उदगीर-पुणे एसटी बसचे शुभारंभ १४ तारखे रोजी आमदार. संजय बनसोडे यांच्या हस्ते संपन्न होणार
शिवशाही उदगीर-पुणे एसटी बसचे शुभारंभ १४ तारखे रोजी माजी आ. संजय बनसोडे यांच्या हस्ते संपन्न होणार
બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણીમાં વાવ ભાજપ ઉમેદવાર સહીત 20 ઉમેદવારોએ હીસાબ ન આપતાં નોટીસ ફટકારી
થરાદમાં 11, વાવ-વડગામમાં 3-3 અને પાલનપુર-ડીસા-ધાનેરા 1-1 ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે હીસાબ ન...
ખેરવા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
દસાડા તાલુકાના ખેરવા ગામેથી રૂ. 38,400ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની...
TMC Manifesto: टीएमसी ने जारी किया मेनिफेस्टो, Bengal में NRC-CAA लागू नहीं करने का किया वादा
TMC Manifesto: टीएमसी ने जारी किया मेनिफेस्टो, Bengal में NRC-CAA लागू नहीं करने का किया वादा