સમગ્ર ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પણ બીપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. તાજેતરમાં બપોર બાદ વાતાવરણમાં એક પલટો આપતા દિયોદર ગુરુદત્ત સોસાયટી ખાતે રહેણાંક મકાનના પતરા ઉડ્યા છે. પતરા ઉડતા અફરા તફરી નો માહોલ સર્જાયો છે. રહેણાક મકાનને ઘરવખરી પલળી જતા પરિવાર ઉપર આભ ફાટ્યું છે..