*બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લાની તમામ શાળાઓ બે દિવસ તા. ૧૬ અને ૧૭ જૂનના રોજ બંધ રહેશે*

********

*બાળકોને રજા રહેશેઃ આ બંને દિવસોએ શાળાના તમામ સ્ટાફે શાળામાં હાજર રહેવાનું રહેશે*

 (માહિતી બ્યુરો, પાલનપુર)

 હાલમાં બિપરજોય વાવાઝોડાની અસરના કારણે બનાસકાંઠા જિલ્લામાં તા. ૧૬/૦૬/૨૦૨૩ તથા તા. ૧૭/૦૬/૨૦૨૩ ના રોજ ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતાના કારણે બાળકોના હિતને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ તથા તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં બે દિવસ તા. ૧૬ અને ૧૭ જૂન-૨૦૨૩ના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખી બાળકોને રજા આપવાની રહેશે. આ બંને દિવસોએ શાળાના તમામ સ્ટાફે શાળામાં હાજર રહેવાનું રહેશે તથા શાળા છૂટ્યા બાદ સ્ટાફે હેડક્વાર્ટર ખાતે હાજર રહેવાનું રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, બનાસકાંઠા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બનાસકાંઠા, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા