ચોટીલામાં બિપરજોય વાવાઝોડાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે ગત સાંજે શહેરના પ્રાથમિક શાળા નંબર 3 સામેના વીજપોલ શોર્ટસર્કિટ ના કારણે વીજપોલ ને અડતા ની સાથે જ એક ગૌવંશ નું મોત થયું હતું. હાલ હજી ચોમાસાની શરૂઆત છે અને પ્રિ મોન્સુન કામગીરી કરવાની બાકી છે. ત્યારે આવો બનાવ બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે વીજપોલ સામે જ દુકાન ધરાવતા વેપારી વિશાલભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે આજે બપોરે જ વિજકર્મીઓ આ વીજપોલ ને રિપેર કરીને ગયા છે ત્યારે સાંજે જ આ બનાવ બનતા પીજીવીસીએલ ના વિજકર્મીઓ ની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.ઉલ્લેખનીય છે કે આ વિજપોલ પ્રાથમિક શાળાની સામે જ આવેલો છે જો આ શોર્ટ એમ જ રહ્યો હોત તો સવારે શાળાએ આવતા વિદ્યાર્થીઓને પણ શોર્ટ લાગવાની સંભાવનાઓ રહેલી છે. છેલ્લા ઘણા સમયથી ચોટીલામાં લો વોલ્ટેજ ના કારણે અને વીજપોલ ની જગ્યા એ વૃક્ષ સાથે હેવી લાઈન બાંધવાના વિવાદોમાં રહેલી પીજીવીસીએલ પર ફરી એક વાર વિજપોલ શોર્ટસર્કિટ ના કારણે જીવદયા પ્રેમીઓ તેમજ લોકો રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે કોઈ ખાતાકીય તપાસ થાય છે કે પછી ઘી ના ઠામ માં ઘી રેડાય જાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত ৰহস্যজনক পৰিস্থিতিত যুৱতী নিৰুদেশ
সোণাৰিত ৰহস্যজনক পৰিস্থিতিত যুৱতী নিৰুদেশ
লংপতীয়াৰ পাহি গগৈ নামৰ এগৰাকী কিশোৰী সন্ধানহীন ।...
રાજ્યભરમાં થઈ રહેલા સાર્વત્રિક ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે
રાજ્યભરમાં થઈ રહેલા સાર્વત્રિક ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે
સાવરકુંડલા ટાઉનમાં લીંમડીચોક તળીનાકામાં જાહેરમા જુગાર રમતા પાંચ ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ
મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ...