બીપરજોય વાવાઝોડાની અસરને પગલે સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને મોડી સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ચૂડા, સાયલા, ચોટીલા અને થાન તાલુકામાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ઝરમર વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.બિપરજોય વાવાઝોડાના પગલે આગામી ત્રણ દિવસ 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવાની સાથે તંત્રને ખડેપગે તૈયાર રાખી લોકોને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે બીપરજોય વાવાઝોડાની અસરને પગલે સુરેન્દ્રનગર જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.મોડી સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ચૂડા, સાયલા, ચોટીલા અને થાન તાલુકામાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે ઝરમર વરસાદ પડતા ગરમીથી લોકોએ રાહત અનુભવી હતી. આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ઝરમર વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.