થરાદના સણાવીયામાં રહેતા દિયોદર તાલુકાના યુવકનો શુક્રવારે રાત્રે તેના ઘરમાંથી તિક્ષ્ણ હથિયાર મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેમાં પોતાના ભાઇ સાથે સગી સાળીની સગાઇનું મનદુ:ખ રાખી પિતરાઇ સાળાએ હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. જેમાં પોલીસે હત્યારાને ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી જેલ હવાલે કર્યો હતો.

થરાદના સણાવિયા ગામમાં યુવકનું તિક્ષણ હથિયારના ઘા કરી મોત નિપજાવ્યું હતું. જેનું કારણ તેના સગા ભાઇની સગાઇ તેની સગી સાળી સાથે કરવામાં આવતાં પિતરાઇઓએ મનદુઃખ રાખી હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. આ યુવક હત્યા પ્રકરણમાં મૃતકની પત્ની વર્ષાબેન પટેલએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણીનાં લગ્ન દિયોદર તાલુકાના રામપુરા-ઘુણસોલ ગામના અમૃતભાઈ હીરાભાઈ પટેલ સાથે થયા હતા અને તેણીને પિયરમાં ભાઇ નહીં હોવાના કારણે સાતેક વર્ષથી માતા ડાહીબેન અને પતિ સાથે ગામની સીમમાં રહેલા પોતાના ખેતરમાં રહે છે.

તેની નાની બહેન રક્ષાની સગાઈ તેણીના દિયર અનિલભાઈ સાથે દોઢ મહિના પહેલાં કરી હતી. આથી પિયરના કુટુંબના માણસોને ખોટું લાગ્યું હતું અને તેનું મનદુઃખ રાખી અવાર-નવાર હેરાન કરતા હતા. કાકા-બાપાના માણસો તેણીના પતિને તારી સાળીની તારા ભાઇ સાથે કેમ સગાઈ કરી છે, કુટુંબમાં કોઈને કેમ સાટું આપેલ નથી તેમ કહી અવાર-નવાર બોલતા અને ઝઘડા કરતા હતા.

ચારેક દિવસ પહેલાં પતિને રસ્તામાં મળેલા કુટુંબી મહાદેવભાઇ ગોરધનભાઈ ચૌધરીએ તારા ભાઈની સાથે રક્ષાની ઉભા સાટામાં સગાઈ કેમ કરી છે, અમને કેમ સાટું આપેલ નથી, જોજે હવે તું રાતે સૂતો હોઈશ ત્યારે તને પતાવી નાખીશ તેવી ધમકી આપી બોલાચાલી કરી હતી. શુક્રવારની રાત્રે પતિ બહાર ખુલ્લામાં સુતા હતા. જ્યારે તેણી પોતાની મમ્મી અને છોકરા સાથે ઢાળિયામાં અને બહેન બાજુના ઢાળીયામાં સુતી હતી.