બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10 નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને 10 જુનથી મળતો થશે..

બનાસ ડેરી એ પોતાના પશુપાલકો ને દૂધના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભેટ આપી છે, બનાસ ડેરી ના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં પશુપાલકો ને આર્થિક રીતે સદ્ધર બનાવવા સમયે સમયે દૂધના ભાવમાં વધારો તેમજ પશુપાલકો ના હિતમાં નિર્ણયો કરવામાં આવે છે, જેના કારણે બનાસકાંઠામાં પશુપાલન નું પ્રમાણ વધ્યું છે..

દૂધ ઉત્પાદકો દુધના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે હેતુથી 10 જુનથી સવારથી દૂધ મંડળીઓને તથા પશુપાલકોને ચુકવાતા દુધ ના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે, આ સિવાય કાંકરેજ ગાયના દુધમાં પ્રતિ લીટરે રૂપિયા 2 નો વધારો કરીને પશુપાલન વ્યવસાયમાં કાંકરેજ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.. 

બનાસ ડેરી દ્વારા કાંકરેજ ગાયના સંવર્ધન માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, પહેલા દૂધના પ્રતિ કિલો ફેટ પર રૂપિયા 795 ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે રૂપિયા 10 નો વધારો થતાં પશુપાલકો ને રૂપિયા 805 ચૂકવવામાં આવશે, જ્યાર થી શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીનું નેતૃત્વ સંભાળ્યું છે, ત્યાર થી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો ના હિતમાં કલ્યાણકારી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે, ચેરમેન શંકરભાઈ ચૌધરી ભાવ વધારો, ભાવફેર અને સતત દૂધના ભાવમાં વધારો કરીને પશુપાલકો ને એમની મહેનતના મીઠા ફળ આપી રહ્યાં છે..