સુરેન્દ્રનગર કોંઢની વાડી પાછળ આવેલા 'ઘર હો તો ઐસા' ફલેટના પરિસરમાં આવેલા જૈન દેરાસરમાંથી અજાણ્યા ત્રણ ઈસમો મોડી રાત્રે રૂા.75,000ની રોકડ ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.આ ચોરીના બનાવમાં અંદાજે રૂ. 75 હજારના માલસામાનની ચોરી થઈ છે. જેમાં મોડી રાત્રે ચોરીનો બનાવ બનતા પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. આ ચોરીની ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસ સ્ટાફે બનાવસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ચોરીની ઘટનામા રોકડા રૂપિયા સાથે માલસામાનની પણ ચોરી થઇ છે.જેમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 'ઘર હો તો ઐસા' પરિસરમા શ્રી સીમંધર સ્વામી ચોવીસ જિનાલય દેરાસરમાં પુજારીએ રાત્રે આઠ વાગે રૂટીન મુજબ મંગલીક કરેલુ હતુ. બીજા દિવસે સવારે 5-30 કલાકે તેઓ દેરાસર જતા દરવાજા ખુલ્લા અને તાળા તુટેલા હતા. આથી તેમણે તુરંત જ પ્રમુખ જીજ્ઞેશભાઈ કોઠારીને જાણ કરતા જીજ્ઞેશભાઈ અને કમીટી મેમ્બરો દેરાસરે દોડી ગયા હતા.જ્યાં તપાસ કરતા ઓફિસના ટેબલનાં ખાનામાંથી રૂા.35,000 રોકડા, દાનપેટીમાંથી રૂા.25,000 રોકડા તથા અન્ય ભંડારના લોક તોડીને રૂા.15,000 રોકડા મળી કુલ રૂા.75,000 રોકડાની ચોરી થયાનું માલુમ પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવતા રાત્રે 1-52 વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સો દેરાસરમાં પ્રવેશ કરતા જોવા મળ્યાં હતા. આ અંગે પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Apple और Google को लेकर Shark Tank India के जज अनुपम मित्तल ने कही ये बड़ी बात,यहां जानें डिटेल
शार्क टैंक के जज अनुपम मित्तल ने हाल ही में एपल और गूगल को लेकर एक बड़ी बात कह दी है। अनुपम ने...
পোন্ধৰ ডিচেম্বৰত লাই খুটা স্থাপন অনুষ্ঠান
নাৰায়ণপুৰৰ ঐতিহ্যমণ্ডিত বৰখামতি পথাৰ খ্যাত মণিকাঞ্চন ক্ষেত্ৰত অনুষ্ঠিত হ’ব লগীয়া অসম...
ભાભર નગરપાલિકાની બીજી ટર્મનામાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિન હરીફ વરણી કરવામાં આવી
ભાભર નગરપાલિકાની બીજી ટર્મનામાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિન હરીફ વરણી કરવામાં આવી
અમરેલી જિલ્લા /તાલુકાના મોટા માંડવડા ગામની આઠ વર્ષની બાળા પર જાતીય હુમલો તથા સતામણી કરનાર આરોપી અરવિંદ મુળજીભાઈ શિરોયા ને ગણતરીનાં કલાકોમાં પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ.
રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર નાઓએ દાખલ થતા ગુનાઓમાં તાત્કાલીક...
ઉંબરી ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર...