સુરેન્દ્રનગર કોંઢની વાડી પાછળ આવેલા 'ઘર હો તો ઐસા' ફલેટના પરિસરમાં આવેલા જૈન દેરાસરમાંથી અજાણ્યા ત્રણ ઈસમો મોડી રાત્રે રૂા.75,000ની રોકડ ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.આ ચોરીના બનાવમાં અંદાજે રૂ. 75 હજારના માલસામાનની ચોરી થઈ છે. જેમાં મોડી રાત્રે ચોરીનો બનાવ બનતા પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. આ ચોરીની ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત પોલીસ સ્ટાફે બનાવસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ચોરીની ઘટનામા રોકડા રૂપિયા સાથે માલસામાનની પણ ચોરી થઇ છે.જેમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 'ઘર હો તો ઐસા' પરિસરમા શ્રી સીમંધર સ્વામી ચોવીસ જિનાલય દેરાસરમાં પુજારીએ રાત્રે આઠ વાગે રૂટીન મુજબ મંગલીક કરેલુ હતુ. બીજા દિવસે સવારે 5-30 કલાકે તેઓ દેરાસર જતા દરવાજા ખુલ્લા અને તાળા તુટેલા હતા. આથી તેમણે તુરંત જ પ્રમુખ જીજ્ઞેશભાઈ કોઠારીને જાણ કરતા જીજ્ઞેશભાઈ અને કમીટી મેમ્બરો દેરાસરે દોડી ગયા હતા.જ્યાં તપાસ કરતા ઓફિસના ટેબલનાં ખાનામાંથી રૂા.35,000 રોકડા, દાનપેટીમાંથી રૂા.25,000 રોકડા તથા અન્ય ભંડારના લોક તોડીને રૂા.15,000 રોકડા મળી કુલ રૂા.75,000 રોકડાની ચોરી થયાનું માલુમ પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવતા રાત્રે 1-52 વાગ્યે ત્રણ અજાણ્યા શખ્સો દેરાસરમાં પ્રવેશ કરતા જોવા મળ્યાં હતા. આ અંગે પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अखेर पापाचा घडा भरला, बीडच्या आरटीओ कार्यालयाच्या कर्मचारी आणि एजंट वर अधिकाऱ्याच्या बोगस सह्या प्रकरणी गुन्हा दाखल
बीडच्या आरटीओ कार्यालयात बोगस सह्या प्रकरणी वरिष्ठ लिपिक आणि एका एजंट वरती गुन्हा दाखल
AAJTAK 2 । 07 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । कर्क राशि । CANCER । Daily Horoscope
AAJTAK 2 । 07 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । कर्क राशि । CANCER । Daily Horoscope
જસદણ જલારામ મંદિર ખાતે જસદણના ‘છોટે જલારામ' પૂ. હરીરામબાપાના ૮૯માં પ્રાગટય દીનની ઉજવણી કારાય
જસદણ જલારામ મંદિર ખાતે જસદણના ‘છોટે જલારામ' પૂ. હરીરામબાપાના ૮૯માં પ્રાગટય દીનની ઉજવણી કારાય
રાજુલાના રામપરા 2 ગામમાં સિંહનો આંતક
રાજુલાના રામપરા 2 ગામમાં સિંહનો આંતક.......
શ્વાનો કરતા સિંહોની રંજાડથી રામપરા 2 ના સરપંચે...